ઉત્તર ભારતના રાજ્યોમાં ક્યારેક ગરમાવો તો, ક્યારેક વરસાદી વાતાવરણ રહેતું હોય છે. કેટલાય રાજ્યોમાં સતત બદલાઈ રહેલા હવામાનની વચ્ચે રવિવારે તડકો નિકળ્યો હતો, જેનાથી કેટલાય દિવસથી ઠંડી વેઠી રહેલા લોકોને આંશિક રાહત મળી છે.
હજૂ બે દિવસ ઠંડીમાંથી નહીં મળે રાહત
બે દિવસ પછી હવામાનમાં આવશે ફેરફાર
કેટલીય જગ્યાએ થઈ છે બરફવર્ષા
ઉત્તર ભારતના રાજ્યોમાં ક્યારેક ગરમાવો તો, ક્યારેક વરસાદી વાતાવરણ રહેતું હોય છે. કેટલાય રાજ્યોમાં સતત બદલાઈ રહેલા હવામાનની વચ્ચે રવિવારે તડકો નિકળ્યો હતો, જેનાથી કેટલાય દિવસથી ઠંડી વેઠી રહેલા લોકોને આંશિક રાહત મળી છે. જો કે, હવામાન વિભાગનનું કહેવું છે કે, બુધવારે ફરી એક વાર હવામાન પલટાશે અને કેટલાય રાજ્યોમાં ઠંડી વધી શકે છે.
આગામી બે દિવસ આવું રહેશે વાતાવરણ
હવામાન વિભાગનું માનીએ તો, આજે રાજધાની દિલ્હીના તાપમાનમાં વધારો થઈ શકે છે. જો કે, બુધવારથી ફરી એક વાર હવામાન ખરાબ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે અને તેના આગામી બે દિવસ સુધી હવામાન બગડેલું રહેશે. આ તમામની વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે પહાડી વિસ્તારમાં બરફવર્ષા થશે. ઉત્તરાખંડમાં કાલે એટલે કે, મંગળવારે હળવો વરસાદ અને બરફવર્ષાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડમાં બરફવર્ષા
રવિવારે ઉત્તરાખંડમાં હવામાન ક્લિન રહેશે. બરફવર્ષા રોકાયા બાદ કાલે ચંબા-ધનોલ્ટી મોટર માર્ગને ગાડીઓની અવરજવર માટે ત્રણ દિવસ બાદ ખોલી દેવામાં આવ્યો છે. જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે હજૂ પણ બંધ પડેલો છે. આ તમામની વચ્ચે કાલે હરિદ્વારમાં તડકો નિકળ્યો પણ પહાડી વિસ્તારમાં બરફ પિઘળવાથી બે દિવસ ઠંડી લહેરો આવતી રહે, જો કે, તેનાથી લોકોને રાહત મળી નહીં.
પંજાબ-હરિયાણામાં ઠંડી
આ બાજૂ યુપીમાં આગામી બે દિવસ કડકડતી ઠંડી પડવાનું અનુમાન લગાવ્યું છે. આ ઉપરાંત પંજાબ અને બિહારમાં ઠંડીના કારણે 24 કલાક ભારે રહી શકે છે. IMD ના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશમાં ભેજ રહેવાની શક્યતા છે. તો વળી આગામી બે દિવસ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં ભારે ભેજ રહી શકે છે.