IMD અનુસાર મધ્ય અને પશ્ચિમ ભારતમાં 29 ઓગસ્ટથી ફરી વરસાદ થવાની શક્યતા છે. જાણો ક્યાં શું છે સ્થિતિ.
દિલ્હી અને કેરળ સહિત અનેક રાજ્યોમાં રવિવારે વરસાદ થઈ શકે
મધ્ય અને પશ્ચિમ ભારતમાં 29 ઓગસ્ટથી ફરી વરસાદની આગાહી
ઉત્તર પશ્ચિમ ભારતમાં લો પ્રેશર બનશે
દિલ્હી અને કેરળ સહિત અનેક રાજ્યોમાં રવિવારે વરસાદ થઈ શકે
દેશમાં અનેક રાજ્યોમાં મોનસૂનના કારણે સારો વરસાદ થયો છે. જો કે ગત કેટલાક દિવસોમાં વરસાદ પર બ્રેક લાગી હતી. હવે ભારત હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. IMD અનુસાર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદમાં ઘટાડા બાદ 29 ઓગસ્ટથી ફરી આની ગતિવિધિ તેજ થવાના અણસાર છે. દિલ્હી અને કેરળ સહિત અનેક રાજ્યોમાં રવિવારે વરસાદ થઈ શકે છે.
ઉત્તર પશ્ચિમ ભારતમાં લો પ્રેશર બનશે
IMD મુજબ દક્ષિણ પ્રાયદ્વીપમાં 30 ઓગસ્ટ સુધી વરસાદમાં તેજી આવશે. આ બાદ ઓછો થવાની શક્યતા છે. આવનારા 4થી 5 દિવસ સુધી પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીથી જોડાયેલા ઉત્તર પશ્ચિમ ભારતમાં લો પ્રેશર બનશે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તરાખંડના કેટલાક સ્થાનો પર આવતા 24 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે કેટલાક સ્થાનો પર આવતા 5 દિવસ સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ 31 ઓગસ્ટ સુધી થશે.
અહીં 1 સપ્ટેમ્બર સુધી કેટલાક સ્થાનો પર ભારે વરસાદ થશે
IMDએ કહ્યું કે ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં 1 સપ્ટેમ્બર સુધી કેટલાક સ્થાનો પર ભારે વરસાદ થશે તો કેટલાક સ્થાનો પર મધ્યમ વરસાદ થશે. ઉત્તર પૂર્વ ભારતમાં આવતા 24 કલાકમાં મધ્યમ સ્તરથી ભારે સ્તર સુધીનો વરસાદ થશે અને એ બાદ વરસાદમાં ઘટાડો નોંધાશે.
કેરળના 6 જિલ્લાને 29 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ
IMDનું કહેવું છે કે કેરળના 6 જિલ્લાને 29 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિજ્ઞાનિઓએ શનિવાર માટે રાજ્યના અન્ય જિલ્લા માટે યલો એલર્ટ જારી કર્યુ છે. IMDએ રવિવાર માટે પથનમથિટ્ટા, કોટ્ટાયમ, ઈડુક્કી, પલક્કડ, મલપ્પુરમ અને વાયનાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું જ્યારે રાજ્યના અન્ય જિલ્લા માટે યલો એલર્ટ જારી કર્યુ છે.
માછીમારોને 30 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવાની ચેતવણી
IMDએ કહ્યું કે દક્ષિમ-પશ્ચિમ મોનસૂનની કેરળ પર જોરદાર અસર રહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે કેરળ અને લક્ષ્યદ્વીપમાં મોટા ભાગની જગ્યાઓ પર વરસાદ થયો છે. IMDના માછીમારોને 30 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.