પાણીનો બગાડ થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું હતું. હતું ત્યારે હવે 1 જાન્યુઆરીથી અમદાવાદમાં મીટરથી પાણીની યોજના અમલમાં આવશે.
24 કલાક પાણીની સાથે પોતાના ઘરે પાણીના મીટર પણ લગાવવા પડશે
વર્ષ 2010થી શરૂ થયેલી યોજના 2020માં વાસ્તવિક બનશે
24×7 પાણી આપવાની યોજના 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. જોધપુર વોર્ડમાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યા છે. શરૂઆતમાં અમુક લીટર પાણીને વિનામૂલ્યે અપાશે. નિયત મર્યાદા બાદના પાણીનો ચાર્જ નક્કી કરાશે. વર્ષ 2010થી શરૂ થયેલી યોજના 2020માં વાસ્તવિક બનશે.
બીજી તરફ ગાંધીનગરમાં પણ 24 કલાક પાણીની સાથે પોતાના ઘરે પાણીના મીટર પણ લગાવવા પડશે. જેથી ગાંધીનગરમાં ખોટી રીતે પાણીનો બગાડ ન થાય. ઉલ્લેખનીય છે કે, આ યોજનાની કામગીરી આગામી ફેબ્રુઆરી, માર્ચ મહિનાથી શરૂ થઇ શકશે. અમલ થવાની સાથે રહેવાસીઓનો પાણીનો ખર્ચ બેવડાઇ જવાનો છે.
મહત્વનું છે કે પાણીનો ઉપાડ અને પાણી પુરવઠાની સુવિધાને નુકસાન થતુ અટાકવવા માટે રાજ્ય સરકારે બિલ રજૂ કર્યું હતું. વિધાનસભામાં બહુમતિ મળતા ઘરે-ઘરે પાણીના મીટરનું બિલ પસાર કરાયું હતું. જ્યારે ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા બિલ અને ઘર વપરાશ પાણી પુરવઠા બિલ આમ બે બિલ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે આ અંતર્ગત કેટલાક દંડ અને સજાની પણ જોગવાઇ કરાઇ હતી.