જ્યારથી વિજળી શોધાઈ છે ત્યારથી વ્યક્તિની પ્રાકૃતિક ઉંઘ અને જાગરણ ખતમ થઇ ગયા છે. પહેલાના સમયમાં લોકો રાત્રે 7 વાગે ભોજન કરી લેતા હતા અને 8 વાગ્યા સુધી સુઇ પણ જતા હતા. હવે 11 વાગ્યા સુધી જાગવાની આદત થઇ ચુકી છે. મતલબ કે વ્યક્તિ અડધી રાત્રે સુવે છે.
પહેલાના સમયમાં લોકો રાત્રે 7 વાગે ભોજન કરી લેતા હતા અને 8 વાગ્યા સુધી સુઇ પણ જતા હતા
જ્યારથી વિજળી શોધાઈ છે ત્યારથી વ્યક્તિની પ્રાકૃતિક ઉંઘ અને જાગરણ ખતમ થઇ ગયા છે
ઘણા બધા લોકોને દિવસમાં ત્રણથી ચાર કલાક સુવાની આદત હોય છે.
આવા સંજોગોમા વ્યક્તિ મોડા ઉઠશે અને જો તે એમ નહીં કરે તો તેનો સુવાનો કે ઉંઘનો કોટા પુરો નહીં થાય. ઘણા બધા લોકોને દિવસમાં ત્રણથી ચાર કલાક સુવાની આદત હોય છે. આ આદત કેટલી સાચી છે તે જાણવુ પણ જરુરી છે. આમ તો વૈજ્ઞાનિકો કહે છે કે દિવસના ભોજન બાદ થોડી વાર આરામ કરવો જોઇએ અને રાતના ભોજન બાદ થોડી વાર ટહેલવું જોઇએ.
પ્રકૃતિએ આપણા શરીરમાં એક ઘડિયાળ ફિટ કરી છે. પ્રાચીનકાળમાં મનુષ્ય એ ઘડીયાળ પ્રમાણે જ ચાલતો હતો. એજ પ્રમાણે ઉઠતો અને એ પ્રમાણે સુઇ જતો. પહેલા એવું કહેવાતુ ‘રાતે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળ બુધ્ધિને ધન વધે, સુખમા રહે શરીર ‘.
પરંતુ આજે માનવીની દિવસચર્યા અને રાતચર્યા બદલાઇ ગઇ છે. મોડા સુધી ટીવી જોવુ કે ઓફિસમાં કામ કરવુ અને ત્યારબાદ દિવસભર કે સવારે મોડે સુધી સુવુ આ નિયમ બની ગયો છે. શાસ્ત્રો અનુસાર આ આદત વૃધ્ધાવસ્થાને આમંત્રિત કરે છે. કેટલાક લોકો એવા છે જે દિવસમાં પણ સુતા રહે છે અને રાત્રે પણ, તેમની આ આદત બની ગઇ છે. ઉંઘનો ટાઇમ બગડવાથી ઉંઘની કમી સર્જાય છે. ઉંઘ ઘણા રોગોને જાતે જ ઠીક કરવામાં સક્ષમ છે. ઉંઘની કમીથી આંખો આસપાસ કાળા કુંડાળા પડી જાય છે. મગજ પણ થાક અનુભવે છે. વજન પણ વધે છે.
શાસ્ત્રો શું કહે છે
શાસ્ત્રો મુજબ રાતે પહેલા પ્રહરમાં સુવુ જોઇએ અને બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સંધ્યા વંદન કરવું જોઇએ, પરંતુ આધુનિક જીવનશૈલીમાં આ શક્ય નથી તો શું કરવું જોઇએ. આપણે સવાસનમાં સુવુ જોઇએ. તેનાથી આરામ મળે છે. માથુ હંમેશા પુર્વ કે દક્ષિણ દિશામાં રાખીને જ સુવુ જોઇએ. પુર્વ કે દક્ષિણ દિશામાં માથુ રાખીને સુવાથી લાંબી ઉંમર અને સારુ સ્વાસ્થ્ય મળે છે.