કેન્દ્રીય કેબિનેટમાં થોડા સમયમાં ફેરફાર થવાની શક્યતા છે. કેબિનેટ વિસ્તરણમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, દિનેશ ત્રિવેદી, ભુપિન્દર યાદવ, વરુણ ગાંધીને સ્થાન મળી શકે છે.
કેન્દ્રીય કેબિનેટમાં થોડા સમયમાં ફેરફાર થવાની શક્યતા
જ્યોતિરાદિત્ય સિંધિયા, દિનેશ ત્રિવેદી, ભુપિન્દર યાદવને સ્થાન મળી
નામો નક્કી કરવામાં મોદી-અમિત શાહે મંથન કર્યું
આગામી વર્ષે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ
ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ફેરબદલ કરાશે
આ નામો નક્કી કરવામાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ખૂબ મથામણ કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યોના મુખ્યમંત્રીઓની પણ સલાહ લેવામાં આવી હોવાનું ચર્ચાય છે. આગામી વર્ષે યુપી સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ છે. યુપી, ગોવા,મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ છે અને તેને ધ્યાનમાં રાખીને મોદી કેબિનેટમાં ફેરફાર કરવામાં આવશે.
આ ચહેરાઓને સ્થાન મળી શકે
કેબિનેટ વિસ્તરણમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, દિનેશ ત્રિવેદી, ભુપિન્દર યાદવ, અશ્વની વૈષ્ણવ, વરુણ ગાંધી, જમયાંગ સેરિંગ નામગ્યાલને સ્થાન મળી શકે છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા
જ્યોતિરાદિત્ય સિંધિયાની મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને તોડવામાં તથા પેટાચૂંટમીમાં 28 માંથી 19 બેઠકો જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેથી તેમનુ નામ પાક્કું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
દિનેશ ત્રિવેદી
દિનેશ ત્રિવેદી પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીના નજીકના નેતા હતા. તેઓ બંગાળ ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેઓ મનમોહનસિહ કેબિનેટમાં રેલ મંત્રી રહી ચૂક્યા છે.
ભુપિન્દર યાદવ
બિહારમાં ભાજપની સફળતા પાછળ ભુપિન્દર યાદવની મુખ્ય ભૂમિકા રહી હોવાનું ચર્ચાય છે.