અમદાવાદઃ અમદાવાદમાં હાર્દિક પટેલના એક દિવસના પ્રતીક ઉપવાસ મામલે હાર્દિકની અટકાયત બાદ અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપીના બનાવો બન્યા હતા. ત્યારે આજે હાર્દિક પટેલે 25 ઓગસ્ટના ઉપવાસને લઇને હાર્દિકે એલાન કર્યું છે. વીટીવી સાથેની વાતચીતમાં તેમણે પોતાના નિવાસ સ્થાને જ ઉપવાસ કરશે તેવી જાહેરાત કરી છે. તંત્ર દ્વારા જગ્યા ફાળવવામાં સહકાર ન મળતા આ નિર્ણય લેવાયો છે. ઉપવાસને લઇને હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપો કર્યા હતા.
હાર્દિકે કહ્યું કે 25 ઓગસ્ટના આમરણાંત ઉપવાસ ઘરે જ થશે. હું ઘરે ઉપવાસ કરૂ છુ એટલે મારે હવે પરમિશનની જરૂર નથી. વધુમાં તેમણે કહ્યું કે ઉપવાસ સફળ ન જાય તે માટે અલ્પેશની ધરપકડ કરાઇ છે.
વીટીવી દ્વારા પુછાયેલ 24 ઓગસ્ટના સવાલને લઇને હાર્દિકે કહ્યું કે જો હું મારી પ્રાઇવેટ જગ્યા પર ઉપવાસ કરી રહ્યો છું. અમે સત્ય અને અધિકારના માર્ગે લડીશું. તેમણે કહ્યું કે હું અને અનેક લોકો ગાંધીમાગ્રે લડીશું. આવતીકાલે હું મારી તમામ વાત રજૂ કરીશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની અધ્યક્ષતામાં નિકોલમાં એક દિવસ માટે પાસ દ્વારા ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી.જયાં હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાનથી નિકળી રહ્યો હતો ત્યારે પોલીસે અટકાયત કરી હતી.. જેમાં હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા મનોજ પનારા સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.