સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી20 મેચમાં બીસીસીઆઈએ એક મોટો ફેરફાર કર્યો છે જે પ્રમાણે કોહલી અને રાહુલને આરામ અપાયો છે.
કોહલી અને રાહુલને આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં નહીં રમે
બન્ને ખેલાડીઓને અપાયો આરામ
કોહલીને બદલે શ્રેયર અય્યર રમશે
હાલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 સિરિઝ ચાલી રહી છે. ભારતે પહેલી બે ટી20 જીતી લીધી છે અને સિરિઝ પર કબજો કરી લીધો છે હવે એક અંતિમ ટી20 બાકી છે. આ દરમિયાન છેલ્લી મેચમાં બીસીસીઆઈએ એક મોટો ફેરફાર કર્યો છે. વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન કેએલ રાહુલને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં આરામ આપવામાં આવ્યો છે.
વર્કલોડને કારણે કોહલીને આરામ અપાયો
બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે કોહલીના વર્કલોડ અને મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને તેને ત્રીજી ટી20માં આરામ આપવામાં આવ્યો છે. કોહલી આગામી ટી20 વર્લ્ડ કપમાં સારો દેખાવ કરે અને તેનું ફોર્મ પણ જળવાઈ રહે તે માટે તેને આરામની જરુર હતી તેથી તેને ત્રીજી મેચમાં આરામ આપવામાં આવ્યો છે.
Virat Kohli likely to be rested for third India-South Africa T20I: Sources
કોહલી અને રાહુલ સીધા ટી-20 વર્લ્ડ કપમાં જોવા મળશે
ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી સિરીઝ છે, જેની છેલ્લી મેચ 4 ઓક્ટોબરે રમાવાની છે. એટલે કે હવે ફેન્સને વિરાટ કોહલી, કેએલ રાહુલ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે સીધા મેદાનમાં જોવા મળશે.
શ્રેયસ અય્યરને ટીમમાં લેવાયો
વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ આપ્યા બાદ શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 જોવા મળી શકે છે. બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી ટી-20 મેચ ઇન્દોરમાં રમાશે.
23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20
ભારતની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. જોકે, તે પહેલા ટીમ ઈન્ડિયાને વોર્મઅપ મેચો પણ રમવાની છે, જે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે હશે.