વિરાટ કોહલી અઢી વર્ષથી ઈન્ટરનેશનલ સદી અને પાંચ મહિનાથી અડધી સદી નથી ફટકારી શક્યા.
ઈન્ડિયા-ઈંગ્લેન્ડની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ
સીરીઝ 1-1થી બરાબરી પર
ત્રીજી મેચ 17 તારીખે છે
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલ ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે. તે પાછલા અઢી વર્ષથી સદી નથી ફટકારી શક્યા. કોહલીનો આ ખરાબ સમય તેને પીછો ઈંગ્લેન્ડમાં પણ નથી છોડી રહ્યો. આજ કારણ છે કે હવે કોહલી ભગવાનની શરણમાં પહોંચી ગયા છે.
હકીકતે વિરાટ કોહલી આ સમયે ઈંગ્લેડ પ્રવાસ પર છે. અહીં તેમની સાથે પત્ની અનુષ્કા શર્મા પણ છે. આ બન્ને લંડનમાં એક ભજન-કીર્તનનો કાર્યક્રમ અટેન્ડ કરવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં પહોંચેલા કોહલી અને અનુષ્કાના ફોટો પણ સામે આવ્યા છે.
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરીઝ પણ 1-1ની બરાબરી પર છે. સીરીઝની છેલ્લી એટલે કે નિર્ણાયક વન ડે મેચ રવિવારે માનચેસ્ટરમાં પણ ખોલવામાં આવશે.
લંડનમાં થયેલા ભજન-કીર્તનમાં પત્નીની સાથે પહોંચ્યો કોહલી
આ ભજન-કીર્તન ફેમસ અમેરિકી ગાયક કૃષ્ણા દાસે આયોજીત કર્યું હતું. આ ભક્તિ ગીતો માટે ફેમસ છે. કોહલી અને અનુષ્કા પણ તેમના કીર્તન અટેન્ડ કરવા પહોંત્યા હતા. કૃષ્ણા દાસના શિષ્યોમાંથી એક હનુમાન દાસે એક ફોટો શેર કર્યો છે. જેમાં તે કોહલી અને અનુષ્કાની સાથે જોવા મળી રહ્યા છે.