કોરોના વાયરસનાં ખતરાને જોતા વડાપ્રધાન મોદીએ દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીના આહ્વાહન બાદ દેશનાં નાગરીકોને તેને આવકારી લોકડાઉનનું પાલન કરવા સ્વીકાર કર્યું ત્યારે દેશનાં ખેલાડીઓએ પણ લોકડાઉનનું સમર્થન કર્યું છે.
વિરાટ કોહલી અને પત્નીએ વીડિયો પોસ્ટ કર્યો
સૌરવ ગાંગુલીએ પણ લોકોને કરી અપીલ
ખેલાડીઓએ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ
ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને તેમના પત્ની અનુષ્કા શર્માએ વીડિયો પોસ્ટ કરીને લોકૉને અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ પરીક્ષાની ઘડી છે અને સ્થિતિની ગંભીરતાની જોતા જાગવાની અને જરૂર છે. જે આપણને કહેવામાં આવ્યું છે તેનું પાલન કરીએ.
These are testing times and we need to wake up to the seriousness of this situation. Please let us all follow what's been told to us and stand united please. It's a plea to everyone 🙏🙏🙏 pic.twitter.com/75dDlzT6tX
ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી પીએમ મોદીનું સમર્થન કર્યું છે. વિરાટ કોહલીએ લોકોને ઘરમાં જ રહેવા સલાહ આપી છે. 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત બાદ કોહલીએ ટ્વીટ કરીએ કહ્યું કે પીએમ મોદીએ આજે દેશભરમાં 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરી છે. હું વિનંતી કરું છું કે કૃપા કરીને ઘરમાં જ રહો. સામાજિક અંતર જ કોરોના વાયરસનો એક માત્ર ઈલાજ છે.
As our Honourable Prime Minister, Shri @NarendraModi ji just announced, the whole country is going into a lockdown starting midnight today for the next 21 days. My request will remain the same, PLEASE STAY AT HOME. 🙏🏼 #SocialDistancing is the only cure for Covid 19.
રવિચંદ્રન અશ્વિને કહ્યું અવો 3 અઠવાડિયા સુધી ઘરમાં જ રહીએ. જો આપણે લાપરવાહી દાખવશું તો 2 દસકા પાછળ જતા રહીશું. હવે વિલાપ કરવાની જગ્યાએ નિર્દેશોનું પાલન કરવાની જરૂર છે.
3 weeks it is ... let’s stay indoors India. I repeat the consequences of irresponsible community behaviour over the next 3 weeks could cost us 2 decades. Well done @narendramodi ji. Now let’s follow instructions rather than moaning and giving our own opinions. #coronavirusindia
— lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) March 24, 2020
હરભજન સિંહે તો હિન્દી, અંગ્રેજી અને તમિલમાં પોતાનો સંદેશો પાઠવ્યો. તેમણે કહ્યું આ 21 દિવસ આપણા જીવન માટે જરૂરી સાબિત થશે. આપણે બધા આ દિવસોમાં ઘરમાં જ રહીએ.
अगले 21 दिन हम सब के लिए बहुत ज़रूरी है हम सब मिलकर @narendramodi के आदेशों का पालन करें और घर के अंदर रहें इसी प्रकार हम इस करोना वायरस से अपना और सब का बचाव कर सकते हैं
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 24, 2020
ચેતેશ્વર પૂજારાએ પણ લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે અપીલ કરી હતી.