1947માં જ્યારે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયુ ત્યારે મોહમ્મદ સિદ્દીક નવજાત હતા. તેમનો પરિવાર પણ વિભાજનમાં વિભાજીત થઇ ગયો. તેના મોટા ભાઈ હબીબ ભારતમાં રહી ગયા અને હવે 74 વર્ષ બાદ પાકિસ્તાનના ગુરૂદ્વારા દરબાર સાહિબને ભારત સાથે જોડવાના કરતારપુર કોરિડોરના કારણે આ બંને ભાઈઓનું ફરી એક વખત મિલન થયુ.
દેશના વિભાજનના કારણે બે ભાઈઓ વિખૂટા પડી ગયા હતા
74 વર્ષ બાદ હબીબ અને સિદ્દીકનું થયુ મિલન
બંને ભાઈઓનો ભાવુક વીડિયો સો.મીડિયામાં વાયરલ
74 વર્ષ બાદ બંને ભાઈઓનું થયુ મિલન
બંને ભાઈઓ ભાવુક થયા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકોનું દિલ પણ જીતી રહ્યો છે. રિપોર્ટસ મુજબ, સિદ્દીક પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહે છે. જ્યારે હબીબ ભારતના પંજાબમાં રહે છે. વીડિયોમાં બંને ભાઈ એકબીજાને પકડીને રડી રહ્યાં છે, તો આજુબાજુમાં ઉભા રહેલા લોકો તેમને જોઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટસ મુજબ, સોશિયલ મીડિયા દ્વારા હબીબના પરિવારે તેના વિખૂટા પડી ગયેલા ભાઈની જાણકારી મેળવી અને પછી જ્યારે સિખોના પાવન તીર્થ સ્થળ કરતારપુર કૉરિડોરને ખોલવામાં આવ્યો ત્યારે બંનેને મળાવવાની તૈયારી પણ કરી.
After a long time, I watched something that really made me a little emotional. Two brothers, one from India's Punjab and the other from Pakistan's Punjab, met in Kartarpur 74 years after they were separated. pic.twitter.com/AIlfPpDEPy
હબીબે આ દરમ્યાન પોતાના ભાઈને જણાવ્યું કે તેમણે લગ્ન કર્યા નથી અને આજીવન માંની સેવા કરી છે. જો કે, પરિવારના સભ્યોનું મિલન આ એકલો મામલો નથી. પંજાબના હોશિયારપુર જિલ્લાની રહેવાસી સુનીતા દેવી પણ પાકિસ્તાનમાં રહી હતી અને પોતાના સંબંધીઓ સાથે મળવા માટે સરહદ પાર કરી હતી. વિભાજનના સમયે સુનીતા દેવીના પિતા ભારતમાં રહી ગયા અને તેના ભાઈ પાકિસ્તાનના ફૈસલાબાદમાં જતા રહ્યાં હતા.