ઇંગ્લેન્ડમા રમાયેલી રહેલી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની વચ્ચે ટીમ ઇન્ડિયાને એક પછી એક સતત ઝટકા મળી રહ્યા છે, સતત ખિલાડીઓ ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે.
શિખર ધવન જ્યાં એક તરફ વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે તો ભુવનેશ્વર કુમાર પણ પાકિસ્તાન વિરુદ્ઘ મસલ્સના દુખાવાના લીધે મેચ ના રમી શક્યો. શિખર ધવનની જગ્યાએ પાકિસ્તાન વિરુદ્ઘ રમનારા વિજય શંકર પણ ઇજાગ્રસ્ત થઇ ગયો છે. નેટ પ્રેક્ટિસ દરમિયાન તેણે જસપ્રીત બુમરાહની બૉલથી ઇજા પહોંચી. જોકે આ વચ્ચે એક રાહતના સમાચાર છે.
જસપ્રીત બુમરાહે કહ્યુ કે, ''કોઇ નથી ઇચ્છતુ કે તેની બૉલ પર કોઇ ખિલાડી ઇજાગ્રસ્ત થાય. જ્યારે તમે નેટ પર પ્રેક્ટિસ કરી રહ્યા છો તો કોઇ બેટ્સમેન એવુ નહી કે શૉટ નહી મારે. તેઓ શૉટ ફટકારે છે. આ દુર્ભાગ્યપૂર્ણ હતુ કે તેઓ (વિજય શંકર) નેટ પ્રેક્ટિસ દરમિયાન મારી બૉલ પર ઇજાગ્રસ્ત થયો. આ રમતનો ભાગ છે, પરંતુ તે ઠીક છે.'' તમને જણાવી દઇએ કે, ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની બૉલ પર બુધવારે વરસાદથી પ્રભાવિત પ્રેક્ટિસ સેશનમાં વિજય શંકરના પગના અંગૂઠા પર ઇજા પહોંચી હતી.
ઇજા થયા પછી ગુરુવારે તેણે બેટિંગ-બૉલિંગ ના કરી. તેમણે સ્ટ્રેચિંગ જરૂરથી કરી, પરંતુ બેટિંગ અને બૉલિંગની પ્રેક્ટિસ ના કરી. તે ટીમની સાથે પ્રેક્ટિસ સેશનમાં રહ્યો, પરંતુ ઇજાને કારણે તેના ચહેરા પર ટેન્શન જરૂરથી દેખાઇ રહ્યુ હતુ. જોકે ટીમના નજીકના સૂત્રોનુસાર, કોઇ ચિંતાની વાત નથી. બૉલ વિજય શંકરના પગ પર વાગી હતી અને તે સમયે તેણે ઘણો દુખાવો થઇ રહ્યો હતો જોકે પછી તે ઠીક થઇ ગયો.
ઉલ્લેખનીય છે કે, વિજય શંકર (5.2-0-22-2) એ પાકિસ્તાન વિરુદ્ઘ મેચમાં પોતાને સાબિત કર્યુ કે તે સારું ફોર્મ કરી શકે છે. ભુવનેશ્વર ગ્રાઉન્ડમાંથી બહાર ગયો અને તે ઑવરને પૂરી કરવા માટે વિજય શંકરે કહેવામાં આવ્યુ તો તેણે પહેલી જ બૉલમાં વિકેટ પોતાના નામે કરી.