મહામંથન / 'કોરોના' સામે સતર્કતા એ જ શ્રેષ્ઠ કવચ !

વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારત પણ તેમાથી બાકાત નથી રહ્યું. હવે ઘડી નજીક આવી રહી છે પ્રધાનમંત્રીએ કરેલી જનતા કર્ફયુની અપીલની. વાત સાવ સાચી છે કે જયારે કોરોના વાયરસની કોઈ અસરકાર દવા શોધાઈ નથી ત્યારે તમારી ખુદની સતર્કતા અને સ્વચ્છતા આ બંને બાબત જ તમને બચાવી શકે. વીટીવી પણ તમને અપીલ કરે છે કે પ્રધાનમંત્રીની જનતા કર્ફયુની અપીલનું ચુસ્તપણે પાલન કરીએ, અસાધારણ સંજોગ સિવાય બહાર ન નિકળીએ અને આવી વિપરીત પરિસ્થિતિમાં પણ જે પોતાની ફરજ બજાવી રહ્યા છે તેવા લોકોનું પ્રધાનમંત્રીની અપીલ મુજબ સન્માન કરીએ. તો કોરોના સામે તમારી સતર્કતા જ કેવી રીતે બનશે તમારુ કવચ આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ