31 ઓગસ્ટનાં રોજ શુક્ર ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આવામાં કર્ક , તુલા અને વૃશ્ચિક રાશિનાં જાતકોને લાભ થશે.
31 ઓગસ્ટનાં રોજ શુક્ર કરશે સિંહ રાશિમાં પ્રવેશ
હાલમાં શુક્ર કર્ક રાશિમાં બિરાજમાન છે
કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિનાં જાતકોને થશે અપાર લાભ
વેદિક જ્યોતિષ અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન અથવા ગોચર કરે છે, ત્યારે સૌના જીવન પર પ્રભાવ પડે છે. 31 ઓગસ્ટનાં રોજ શુક્ર ગ્રહ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. આ દરમિયાન, તે કર્ક રાશિથી નીકળીને ઇસંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહને આર્થિક સ્થિતિ, વૈવાહિક જીવન, ભોગ - વિલાસ, ઐશ્વર્ય વગરેનો કારક માનવામાં આવે છે. આવામાં શુક્રનાં સિંહમાં ગોચર કરવાથી બધી રાશિઓ પર પ્રભાવ પડશે પરંતું આ 3 રાશિઓને વિશેષ લાભ થશે.
જણાવી દઈએ કે 31 ઓગસ્ટનાં રોજ દેશભારમાં ગણેશ ચતુર્થી મનાવવામાં આવશે. આ દિવસે ધામધૂમથી ઘરોમાં ગણપતિ બિરાજમાન થશે અને વિધિ-વિધાનથી તેમની પૂજા અર્ચના કરવામાં આવશે. આવામાં ગણેશ ચતુર્થીનાં શુભ અવસર પર શુક્રનું ગોચર આ રાશિનાં જાતકો માટે દિવ્યસ પલટી દેશે. આ રાશિઓનાં જાતકોને દરેક કાર્યમાં સફળતા મળશે. સાથે જ વિશેષ ધનલાભ પણ થશે.
કર્ક રાશિ
શુક્ર ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આવામાં કર્ક રાશિનાં લોકોના જીવન પર શુભ પ્રભાવ પડતો જોઈ શકાય છે. આ રાહસીની ગોચર કુંડળીમાં શુક્ર બીજા ઘરમાં પ્રવહસ કરશે. આવામાં આ જાતકોને ધનલાભ સાથે કરિયરમાં પણ સફળતા મળશે. કમાણીનાં નાવા સ્ત્રોત બનશે. આ દરમિયાન, કોઈપણ બિઝનેસમાં રોકાણ લાભદાયક રહેશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. સંતાનની તરફથી કોઈ ખુશખબર મળી શકે છે.
તુલા રાશિ
જ્યોતિષ અનુસાર, આ રાશિનાં જાતકો માટે પણ આ ગોચર લાભકારક રહેશે. આ રાશિમાં શુક્ર 11માં ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. આ રાશિનાં જાતકોને નોકરી અને બિઝનેસ વગેરેમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ હાજરી આપવા આવશે. આ રાશિનાં જાતકોની આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. સાથે જ આ સમયગાળામાં કિસ્મતનો પણ સંપૂર્ણ સાથ મળશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિનાં દસમા ઘરમાં શુક્ર ગોચર કરવા જઈ રહ્યો છે. આ કારણે આ રાશિનાં જાતકોનાં કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. નવી નોકરીની શોધ કરી રહેલા લોકોને પણ સફળતા મળશે. ઓફિસમાં કામની પ્રશંસા થશે અને આના જ આધાર પર પ્રમોશન પણ થઈ શકે છે.