હિન્દુ ધર્મમાં મોટાભાગના છોડને પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. ઘણી વખત છોડનુ ધ્યાન ના રાખવાથી અને તેમાં પાણી ના આપવાના કારણે છોડ સુકાઈ જાય છે. આ છોડનુ સુકાવુ અશુભ સંકેત આપે છે. ભવિષ્યમાં આવનારી ઘટનાઓને લઇને સંકેત આપે છે. આવો જાણીએ આ સંકેત અંગે..
આ છોડનુ સુકાવુ અશુભ સંકેત આપે છે
ભવિષ્યમાં આવનારી અશુભ ઘટનાઓ અંગે આપે છે સંકેત
તુલસીનો છોડ સુકાશે તો જીવનમાં પડશે મુશ્કેલી
તુલસીનુ સુકાઈ જવુ
ઘણી વખત ઘરમાં થોડી બેદરકારી રાખવાથી ઘરમાં રાખવામાં આવેલા છોડ સુકાઈ જાય છે. પરંતુ ઘણી વખત છોડનુ સંપૂર્ણ ધ્યાન રાખ્યા બાદ પણ તે સુકાઈ જાય છે. જો આવુ તુલસીના છોડની સાથે થાય છે તો માં લક્ષ્મી તમારાથી નારાજ થઇ શકે છે. આ નાણા હાનિનો સંકેત આપે છે. તુલસીના છોડને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેથી તુલસીના છોડનુ આવશ્ય ધ્યાન રાખો.
મની પ્લાન્ટનું સુકાઈ જવુ
મની પ્લાન્ટનો છોડ વાસ્તુની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે. વાસ્તુ જાણકારો મુજબ મની પ્લાન્ટને દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવુ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિશામાં ગણેશજીનો વાસ હોય છે અને નાણાની અછત સર્જાતી નથી. પરંતુ જો રાખવામાં આવેલો મની પ્લાન્ટ સુકાઈ જાય છે તો નાણાની દ્રષ્ટિએ શુભ માનવામાં આવતુ નથી. આ પૈસાની તંગીનો સંકેત આપે છે.
શમીના છોડનુ સુકાઈ જવુ
શમીનો છોડ અત્યંત શુભ હોય છે. શનિ ગ્રહ સાથે જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે શમીના છોડની પૂજા કરવામાં આવે છે. પરંતુ જો તમારું હર્યુભર્યુ શમીનુ ઝાડ અચાનક સુકાઈ જાય છે તો આ શનિની ખરાબ સ્થિતિ અને શિવજી નારાજ થયા હોવાનો સંકેત આપે છે. આમ કરવાથી તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં કાર્યોમાં અડચણ ઉત્પન્ન થાય છે.