Vastu tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, અમુક વસ્તુઓ છે, જેને સવારે આંખ ખુલવાની સાથે જ જોવાનુ અશુભ માનવામાં આવે છે.
સવારે આંખ ખુલવાની સાથે જ જોવાનુ અશુભ માનવામાં આવે છે
ઉઠવાની સાથે અરીસો ક્યારેય ના જોવો જોઇએ.
સવારે ઉઠ્યા બાદ હિંસક પશુ કે જંગલી જાનવરીની તસ્વીર કે પેન્ટિંગ ના જોવી
Vastu tips: વાસ્તુ શાસ્ત્ર તે એક એવુ શાસ્ત્ર છે જેની માહિતી આપણા જીવન અને જીવનશૈલીને અસર કરે છે. તેમાં જણાવવામાં આવેલી માહિતી દ્વારા અનેક લાભ થાય છે. વ્યક્તિ સવારથી ઉઠવાની સાથે જ પોતાના જીવનને વધુ સારુ બનાવવાની હોડમાં લાગી જાય છે. પરંતુ જો અમુક ભૂલો કરવામાં આવે તો તેને સફળતા મળી શકતી નથી. જી, હાં વાસ્તુ શાસ્ત્ર અનુસાર, માણસના જીવનમાં સવારના સમયે અનેક ભૂલો થાય છે, જેની અસર તેમના જીવન પર પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, અમુક વસ્તુઓ છે, જેને સવારે આંખ ખુલવાની સાથે જ જોવાનુ અશુભ માનવામાં આવે છે. આવો તે તે વસ્તુઓ વિશે જાણીએ જેને સવારે ઉઠીને જોવાનું અશુભ માનવામાં આવે છે.
1. પડછાયો
વાસ્તુ મુજબ, ભૂલીને પણ સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલા પોતાનો કે પછી કોઇ અન્ય વ્યક્તિનો પડછાયો ના જોવો જોઇએ. માનવામાં આવે છે કે સવારે સૂર્ય દર્શન દરમિયાન જો તમે પશ્ચિમની તરફ પોતાનો પરછાયો જોયો તો તે અશુભ માનવામાં આવે છે.
2. એઠ્ઠા વાસણ
વાસ્તુ અનુસાર, સવારે ઉઠીને ક્યારેય પણ રાતે એઠ્ઠા વાસણ ના જોવા જોઇએ. આ તમારા માટે નુકસાનકારક હોઇ શકે છે. એઠ્ઠા વાસણ જોવાથી બચવા માટે હંમેશા રાતના સમયે જ વાસણ ધોઇ નાંખવા જોઇએ.
3. અરીસો
વાસ્તુ શાસ્ત્ર મુજબ, સવારે ઉઠવાની સાથે પહેલા અરીસો ના જોવો જોઇએ. આમ કરવાથી રાતભરની નકારાત્મકતા અરીસા દ્વારા તમને મળી જાય છે.
4. હિંસક કે જંગલી જાનવર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સવારે ઉઠ્યા બાદ હિંસક પશુ કે જંગલી જાનવરોની પેટિંગ ભૂલીને પણ ના જોવી જોઇએ.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.