વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર બન્યુ હોય તો તકલીફો ઓછી થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુનો ઉપાય લખ્યો છે.
ઉંઘતી વખતે ન કરો ભૂલ
ઓશીકા પાસે ન મૂકો આ વસ્તુઓ
કજીયાનું કારણ બને છે
માણસ જો વાસ્તુ પ્રમાણે ચાલે તો તેના જીવનમાંથી મુશ્કેલીઓ જતી રહે છે પરંતુ ઘણીવાર તમને ખ્યાલ ન હોય અને તમે ભૂલો કરી બેસતા હોવ છો. ખાસ કરીને સુતી વખતે તમારા તકિયા પાસે શું છે તેને લઇને વાસ્તુમાં ઘણી વાતો કહેવામાં આવી છે.
ઉંઘતી વખતે આપણે સૌ ઓશીકા પાસે કંઇનું કંઇ મુકી દેતા હોઇએ છીએ પરંતુ કેટલીક વસ્તુઓ ઓશિકા પાસે રાખવાથી પ્રોબ્લમ થતી હોય છે.
- વાસ્તુમાં ઇલેકટ્રીક સાધનો જેમ કે ઘડિયાળ, ફોન, લેપટોપ, ટીવી, વિડિયો ગેમને સ્વચાલિત માનવામાં આવે છે. તે હંમેશા ચાલતા રહે છે, તેથી તેને સાથે લઇને ન સુવો. તેનાથી રાહુદોષ ઉત્પન્ન થાય છે.
- બેડની સામે અરીસો પણ ન હોવો જોઇએ. તેના કારણે રોગ ઉત્પન્ન થાય છે અને પતિ પત્નીના સંબંધો પણ બગડે છે.
- સુતી વખતે ક્યારેય માથા પાસે વોલેટ ન રાખવુ જોઇએ. તે તમારા ખર્ચા કારણ વગર વધારે છે. સાથે સાથે ઘરમાં કજિયા કંકાસનુ વાતાવરણ ઉભુ કરે છે. તે આર્થિક હાનિનુ કારણ પણ બને છે. સુતા પહેલા તમારુ પર્સ યોગ્ય જગ્યાએ રાખી દો
- કેટલાક લોકો જુતા અને ચંપલ બેડ પાસે રાખી દેતા હોય છે. જેથી બાથરુમ જતી વખતે તેમને પ્રોબલેમ ન થાય. તેનાથી ઘરમા નેગેટીવ એનર્જી આવે છે. ક્યારેય પણ પથારીની આસપાસ ચંપલ ન રાખો.
- સુતી વખતે ક્યારેય પણ પાણી ભરેલો ગ્લાસ, લોટો કે બોટલ તમારા માખા પાસે રાખીને ન સુવો. તેનાથી ચંદ્રમા પ્રભાવિત થાય છે અને મનોરોગ ઉત્પન્ન થાય છે.
- ક્યારેય ઘરની કે ગાડીની ચાવી, ઓફિસની ચાવી સાથે લઇને ન સુવો. આમ કરવાથી પૈસાનો પ્રોબલેમ થઇ શકે છે.
- તેલ મસાજ કર્યા બાદ તેલની બોટલ માથા પાસે ન રાખો, વાસ્તુ મુજબ આ કારણે ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.
- વાસ્તુ અનુસાર રાતે સુતી વખતે દવાઓ પણ સાથે ન રાખવી જોઇએ. તેની આરોગ્ય પર ખરાબ અસર પડે છે. તેથી ભુલથી પણ દવાઓ નજીક ન રાખો