જો ખૂબ ધન કમાવવા માંગો છો અને પોતાની તિજોરીને હંમેશા પૈસાથી ભરેલી રાખવા માંગો છો તો વાસ્તુની અમુક ટિપ્સ જરૂર ફોલો કરો.
ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ
પૈસાથી ભરેલી રહેશે તિજોરી
ધનની નહી થાય કમી
જો ઘરના દરેક ભાગને વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વ્યક્તિ ઘણી સંપત્તિ કમાય છે. પરંતુ જો ઘરના વાસ્તુમાં કોઈ ખામી સર્જાઈ જાય તો ધનવાન માણસને પણ કંગાળ બનતા વાર નથી લાગતી.
ઘરનું વાતાવરણ નકારાત્મક બને છે, ઝઘડા થવા લાગે છે, મા લક્ષ્મી ગુસ્સે થઈને જતી રહે છે. આજે આપણે એવા જ કેટલાક વાસ્તુ ઉપાયો વિશે જાણીએ જે તમારી તિજોરીને હંમેશા ધનથી ભરેલી રાખવામાં ખૂબ જ ઉપયોગી થશે.
યોગ્ય દિશામાં રાખવું જોઈએ તિજોરીનું મુખ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરીનું મુખ હંમેશા ઉત્તર કે પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આ કુબેરની દિશા છે અને આમ કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. આ દિશામાં મુખ રાખવામાં આવે તો તિજોરી હંમેશા ધન અને સોના-ચાંદીથી ભરેલી રહે છે.
બીજી તરફ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં મુખ રાખવામાં આવેલ તિજોરી ધનનું નુકસાન કરે છે. વ્યક્તિ ગમે તેટલા પૈસા કમાય પણ તેના પૈસા ઘરમાં નથી રહેતા અને વેડફાઈ જાય છે. વ્યક્તિ પણ દેવામાં ડૂબી શકે છે.
આ ભૂલોથી પણ બચો
તિજોરીનું મુખ યોગ્ય દિશામાં રાખવા ઉપરાંત કેટલીક ભૂલોથી પણ બચવું જોઈએ. નહીં તો માતા લક્ષ્મી ક્રોધિત થાય છે.
તિજોરી પાસે ક્યારેય ભૂલથી પણ સાવરણી ન રાખો. આમ કરવાથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
સૂર્યાસ્ત સમયે અને સૂર્યાસ્ત પછી ઘરમાં કચરો ન વાળો. આ સમય છે મા લક્ષ્મીના ઘરમાં આગમનનો. સફાઈનું કામ હંમેશા દિવસ દરમિયાન કરો.
ઈશાન દિશામાં કચરો ક્યારેય ન રાખવો. તેને સૌથી શુભ કોણ માનવામાં આવે છે અને અહીં ગંદકી રહેવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
ઘરના મુખ્ય દ્વાર પર પણ ક્યારેય ગંદકી ન રાખો. તેને હંમેશા સાફ રાખો. જો શક્ય હોય તો દરરોજ સાંજે મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવો.