આજે અમે તમને કપડાં ધોવા અને સૂકવવાના એ વાસ્તુના નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
રાત્રે કપડાં ધોવા અને સૂકવવાને અશુભ માનવામાં આવે
વાસ્તુશાસ્ત્રમાં કપડાં ધોવાના નિયમો પણ આપવામાં આવ્યા છે
દિવસ દરમિયાન કપડાં ધોવાના ફાયદા
વાસ્તુશાસ્ત્રમાં જીવનને સરળ અને સુખદ બનાવવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે અને વાસ્તુશાસ્ત્રના આ ઉપાયો અપનાવીને જીવનમાં આવતી ઘણી પરેશાનીઓથી મુક્તિ મેળવી શકાય છે. જાણતા અજાણતા ઘણી વખત ઘણા લોકો વાસ્તુ નિયમોની અવગણના કરે છે અને આવનાર સમયમાં તેના ખરાબ પરિણામ ભોગવવા પડે છે. ઘણીવાર એવું જોયું હશે કે ઘણા લોકો રાત્રે પણ કપડાં ધોઈને સૂકવે છે અને વાસ્તુશાસ્ત્રમાં કપડાં ધોવાના નિયમો પણ આપવામાં આવ્યા છે. એ નિયમો મુજબ રાત્રે કપડાં ધોવા અને સૂકવવાને અશુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર રાત્રે કપડાં ધોવા અને સૂકવવાથી જીવનમાં ઘણી પરેશાની આવી શકે છે. આજે અમે તમને કપડાં કપડા ધોવા અને સૂકવવાના એ જ વાસ્તુના નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તણાવ રહેવો
વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાથી ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણનું સર્જન થાય છે. માન્યતા અનુસાર રાત્રે કપડાં ધોવાથી તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને જ્યારે આપણે સવારે તે કપડાં પહેરીએ છીએ ત્યારે તેમાં પ્રવેશેલ નકારાત્મક ઉર્જા આપણા જીવન પર અસર કરે છે. આ કારણે કામમાં વિક્ષેપ પડવો અથવા સતત તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
દિવસ દરમિયાન કપડાં ધોવાના ફાયદા
વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કપડાં ધોવા જોઈએ નહીં આ સાથે જ રાત્રે કપડાં સૂકવવામાં સમય લાગે છે અને તેનાં કારણે તેના પર ઘણા પ્રકારના કીટાણુઓ પણ આવી જાય છે. એ પછી તે કપડાં પહેરવાથી તે કીટાણુ આપણા શરીરમાં પ્રવેશે છે અને તેને કારણે અનેક પ્રકારની બીમારીઓ પણ થવા લાગે છે. દિવસ દરમિયાન કપડાં ધોવા અને સૂકવવાથી સૂર્યપ્રકાશને કારણે નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે આ સાથે કપડા પર હાજર હાનિકારક કીટાણુઓ પણ નાશ પામે છે. આ માટે જ કપડા હંમેશા દિવસ દરમિયાન ધોવા અને સુકવવા જોઈએ.
આ વાતોનું ધ્યાન રાખો
વાસ્તુ નિયમો અનુસાર જો રાત્રે કપડાં ધોવા જરૂરી હોય તો તેને ધોઈને ખુલ્લામાં ન સૂકવવા જોઈએ. ખુલ્લામાં કપડાં સૂકવવાથી તેના પર હાનિકારક કીટાણુઓ આવે છે અને એ સાથે જ નકારાત્મક ઉર્જા તેમાં પ્રવેશે છે. તેની અસર ઘરની સુખ-સમૃદ્ધિ પર પડે છે. એટલા માટે રાત્રે કપડાં ધોવાનું ટાળવું જોઈએ.