હાર્દિક પટેલના રાજીનામા પર વરુણ પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, 'કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે તેવું મને નથી લાગતું.'
હાર્દિક પટેલના રાજીનામા પર વરુણ પટેલનું ટ્વિટ
કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે તેવું મને નથી લાગતું: વરુણ
ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી: વરુણ
ગુજરાત કોંગ્રેસથી સતત નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે. ત્યારે હવે હાર્દિક પટેલ આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. કેન્દ્રિય નેતૃત્વની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે. એવામાં હાર્દિકના રાજીનામા પર વરૂણ પટેલનું મહત્વનું ટ્વિટ સામે આવ્યું છે.
.@BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈ ની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો,ભાઈ નો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપ માં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં.
ભાજપ નો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!
વરૂણ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો, ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!'
અત્રે નોંધનીય છે કે, જે અપેક્ષિત હતું એ જ થયું. અંતે કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. હાર્દિકે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
જ્યારે મે ગુજરાતનું સારૂ ઈચ્છ્યું ત્યારે કોંગ્રેસે મારો તિરસ્કાર કર્યો: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કોંગ્રેસને લઇને જણાવે છે કે, 'કોંગ્રેસ પાર્ટી વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ. કોગ્રેસ દરેક મુદ્દા પર કેન્દ્ર સરકારના વિરોધ સીમિત રહી ગઈ. કોંગ્રેસનું નેતૃત્વ પાયાનો રોડમેપ પણ જનતા સમક્ષ પ્રસ્તુત ન કરી શક્યું. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દામાં ગંભીરતાની ઉણપ રહેલી છે. સમસ્યાઓ કરતા નેતાઓનું ધ્યાન મોબાઈલમાં વધુ હોય છે. જ્યારે દેશને કોંગ્રેસની જરૂર હતી ત્યારે નેતા વિદેશમાં હતા. કોંગ્રેસે યુવાઓના વિશ્વાસને તોડ્યો છે. કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દા નબળા કર્યા. કોંગ્રેસના નેતાઓએ આર્થિક ફાયદાઓ ઉઠાવ્યા. કોંગ્રેસના નેતાઓનું વેચાઈ જવું એ જનતા સાથે દગો છે. કોંગ્રેસ ગુજરાતની જનતા માટે સારૂ કરવા જ ઈચ્છતી નથી. જ્યારે મે ગુજરાતનું સારૂ ઈચ્છ્યું ત્યારે કોંગ્રેસે મારો તિરસ્કાર કર્યો. આજે હું મોટી હિમંત કરીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપુ છું. મને વિશ્વાસ છે કે મારા સાથીઓ મારા નિર્ણયનુ સ્વાગત કરશે.'
ઉદયપુરમાંકોંગ્રેસની ચિંતન શિબિરમાં હાર્દિક ગેરહાજર રહ્યો હતો
છેલ્લાં કેટલાંક દિવસની ગતિવિધિઓ અને નિવેદનથી પણ હાર્દિકની કૉંગ્રેસ સાથેનું અંતર સ્પષ્ટપણે જણાતું હતું. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક પરંતુ તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
કોંગ્રેસ નેતાએ હાર્દિક પટેલ પર કર્યા પ્રહાર
હેમાંગ વસાવડાએ કહ્યું કે હાર્દિક પટેલે કીધું એમ ટિકિટ આપવામાં આવી હતી, યુપી, બિહાર અને પંજાબમાં તેમને મોકલવામાં આવ્યા હતા. રાહુલજીએ તેમને ખૂબ જ તકો આપી હતી. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં જોડાણ નથી તેવું તો પહેલેથી દેખાતું હતું, આમારી પાર્ટી સક્ષમ છે, તેમના જવાથી કોઈ નુકસાન થવાનું નથી. જે રીતે એમણે ચૂંટણી લડવાની મંજૂરી મેળવી અને ફટાફટ કેસો પાછા ખેંચાવવા મંડ્યા એટલે પહેલેથી જ એંધાણ હતા કે તેઓ પાર્ટી છોડવાના હતા. હેમાંગ વસાવડાએ કહ્યું કે, હાર્દિક પટેલના જવાથી કોઈ મોટી ખોટ પડવાની નથી અને તેઓ ભાજપના શરણે જઈ રહ્યાં છે. જે ભાજપની સામે તેઓ નિવેદનો કરી રહ્યાં હતા તે જ ભાજપમાં તેઓ જઈ રહ્યાં છે.