ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વારાણસી બોલાવવામાં આવશે
કાશી વિશ્વનાથ કોરિડોર લોકાર્પણ પ્રસંગ પર લગભગ 1 મહિના સુધીના કાર્યક્રમોનું આયોજન
પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ લગભગ પુરુ થઈ ગયુ છે અને હવે ઉદ્ધાટન માટે તૈયાર છે. 13 ડિસેમ્બરે પ્રધાનમંત્રી કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરશે. આ પ્રસંગ પર લગભગ 1 મહિના સુધીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનું સંમેલન, મેયર અને જિલ્લા પંચાયત અધ્યક્ષોને સંમેલન અને સાધુ સંતો અને ધર્માચાર્યોના સંમેલન સામેલ છે.
પીએમ નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બર પોતાના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાપર્ણ કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગ પર લગભગ 1 મહિને અથવા 13 ડિસેમ્બરથી લઈને મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી સુધી બનારસમાં મોટા સ્તર પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પીએમ 13ના બનારસમાં પહોંચીને કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરી ત્યાં જ રાત વાસો કરશે અને 14 ડિસેમ્બરે પાછા દિલ્હી આવશે.
ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વારાણસી બોલાવવામાં આવશે
જાણકારી મુજબ કોરિડોરના લોકાર્પણના પ્રસંગ પર વિશેષ કાર્યક્રમ બનારસમાં એક મહિના સુધી ચાલશે. આની સાથે સાથે સમગ્ર દેશમાં ભાજપા પદાધિકાકીઓનું બનારસમાં સંમેલન થશે. આ પ્રસંગ પર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વારાણસી બોલાવવામાં આવશે. તેમનું બનારસમાં સંમેલન થશે.
મેયર અને જિલ્લા પંચાયત અધ્યક્ષોનું પણ સંમેલન
સમગ્ર દેશભરના તમામ મેયર અને જિલ્લા પંચાયત અધ્યક્ષોનું પણ સંમેલન કરાવવામાં આવશે. જે રીતથી પીએમના સંસદીય વિસ્તાર વારાણસીનો વિકાસ થયો છે. તેને દર્શાવવામાં આવશે જે તમામ પ્રેરણા લઈ પોતાના વિસ્તારોમાં વિકાસ રોડમેપ તૈયાર કરી શકે.
હિંદુઓ માટે એક વિશેષ મહત્વ છે
આ ઉપરાંત જો કે કાશી બાબા વિશ્વનાથની નગરી છે. હિંદુઓ માટે એક વિશેષ મહત્વ છે. તીર્થ નગરી પણ છે. એટલા માટે કાશીની કાયાકલ્પને તમામ સાધુ સંતો ધર્માચાર્યોને પણ દર્શાવવાનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે તમામ ધર્માચાર્યોનું સમેલન વગેરેની રુપ રેખા તૈયાર કરવામાં આવી છે.