વઢવાણમાં ટિકિટની માંગ સાથે દલવાડી સમુદાય દ્વારા જિજ્ઞા પંડ્યાને વિરોધ કરવામાં આવતા જિજ્ઞા પંડ્યાએ ઉમેદવારી પાછી ખેંચવા પત્ર લખ્યો છે.
વઢવાણમાં ભાજપ નવા ઉમેદવારને ઉતારશે ?
જિજ્ઞા પંડ્યાને બદલે જગદિશ મકવાણાને મળી શકે છે ટિકિટ
જિજ્ઞા પંડ્યાએ ઉમેદવારી પાછી ખેંચવા પત્ર લખ્યો
ગુજરાત ચૂંટણીને લઇને સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા 166 ઉમેદવારોના નામ સાથેની બે યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેને પગલે અનેક સ્થળોએ વિરોધનો સૂર ઉઠ્યો છે. આવી સ્થિતિ વચ્ચે વઢવાણ બેઠક ચર્ચામાં આવી છે. જેમાં ભાજપ દ્વારા જિજ્ઞા પંડ્યાના નામની જાહેરાત કરવામાં આવી છે. જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. આથી વઢવાણમાં ભાજપ નવા ઉમેદવારને ઉતારી શકે છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર જિજ્ઞા પંડ્યાના સ્થાને જગદિશ મકવાણાને ભાજપ દ્વારા ટિકિટ આપી ચુંટણી જંગમાં ઉતારવામાં આવી શકે છે.
જિજ્ઞા પંડ્યા ઉમેદવારી પાછી ખેંચવા તૈયાર
વઢવાણમાં ખાસ દલવાડી સમુદાય ટિકિટની માંગ સાથે જિજ્ઞા પંડ્યા સામે વિરોધ કરી દર્શાવી રહ્યા છે અને ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે. બીજી બાજુ જિજ્ઞા પંડ્યાએ VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાર્ટી જે પણ નિર્ણય કરશે તેમાં હું સહમત છું કેમ કે મારા કરતા પાર્ટી વિશેષ છે. વધુમાં 'પાર્ટી જ મારો પરિવાર છે' પાર્ટીના હિત માટે જિજ્ઞાબેન પંડ્યાએ ઉમેદવારી પાછી ખેંચવાની પણ તૈયારી દર્શાવી છે અને આજીવન પાર્ટીની સેવા કરવાનું જણાવ્યું હતું. જોકે વિરોધ અને અન્ય ઉમેદવાર અંગે જિજ્ઞાબેન પંડ્યાએ કોઈ ફોડ પાળ્યો ન હતો.
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને ભાજપ દ્વારા ઉમેદવારોની બે યાદી જાહેર કરી 166 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે ગમે ભાજપ દ્વારા તે ઘડીએ ત્રીજી યાદી પણ જાહેર કરવામાં આવી શકે છે. જેમાં 16 સીટો પરના બાકી ઉમેદવારોના નામનું એલાન થઇ શકે છે. જાણવા મળતી વિગત અનુસાર આ સીટ પર ઉમેદવારોના નામ લગભગ નક્કી થઇ ગયા છે.
કમલમ ખાતે ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
ભાજપે ઉમેદવારોની બે યાદી જાહેર કરી દીધી છે. જેમાં અમુક બેઠકો પર ઉમેદવારોને લઈ કાર્યકર્તાઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે આજે ફરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કોબા સ્થિત કમલમ ખાતે ગૃહમંત્રી અમિત શાહ ઉચ્ચસ્તરીય બેઠક કરશે. રાજ્યમા ટિકિટ જાહેર થયા બાદ ઉભી થયેલી સ્થિતિની પર સમીક્ષા કરશે. અમિત શાહ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે ગુજરાત પ્રદેશના નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરશે જેમાં તેઓ ઉભી થયેલી તંગ સ્થિતિ અંગે તાંગ મેળવશે. આ બેઠકમાં બાકી રહેલી ટિકિટની ફાળવણી અને પ્રચાર સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.