વડોદરા સામુહિક દુષ્કર્મનો મામલે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી નવલખી મેદાનમાં દાંડિયા બજાર બ્રિજ પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહેલોતે જાહેરનામુ બહાર પાડ્યુ છે. રાત્રે 9 વાગ્યા બાદ પ્રતિબંધ મુકાયો છે. આ પ્રતિબંધને કારણે એવી ચર્ચા થઈ રહી છે કે, પોલીસ સુરક્ષા આપવાને બદલે કે ગુનેગારોને પકડવાને બદલે જાહેરનામા બહાર પાડે છે.
દુષ્કર્મ કેસના આરોપીઓની માહિતી આપનારને એક લાખનું ઇનામ
સુરક્ષા આપવાને બદલે પ્રતિબંધ મૂકાયો
નવલખી મેદાનમાં અને દાંડિયા બજાર બ્રિજ પર રાત્રે મોટી સંખ્યાંમાં બેસવા અને ફરવા આવતા હોય છે ત્યારે સુરક્ષા આપવાને બદલે પોલીસ પ્રતિબંધ મૂકી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાર કરી રહી છે.
શું હતી ઘટના?
રાજ્યમાં સરકાર દ્વારા બેટી પઢાઓ અને બેટી બચાઓના નારા લગાવવામાં આવે છે. જોકે સરકારના અભિયાન માત્ર કાગળ પર હોય તેવુ લાગી રહ્યુ છે. રાજ્યના મોટા શહેરમાં હજુ પણ દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ જોવા મળી રહી છે. વડોદરા અને રાજકોટમાં દીકરીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ.
વડોદરામાં બે શખ્સોએ મળીને નવલખી મેદાનમાં સગીરા પર દુષ્કર્મ આચર્યુ. સગીરા પોતાના મિત્રને મળવા પહોંચી હતી ત્યારે બે શખ્સોએ ઝાડીઓમાં લઈ જઈને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ મામલે પોલીસે ફરિયાદ તો નોંધી છે, જોકે એક દિવસ વિત્યા બાદ પણ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. તો બીજી તરફ રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે અજાણ્યા શખ્સોએ દુષ્કર્મ આચર્યુ. બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. આ ઘટના બાદ પોલીસે બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
દુષ્કર્મ આચરનારા નરાધમો ક્યારે દંડાશે?
પોલીસના હાથ 3 દિવસ બાદ પણ કેમ ખાલી ? આવા નરાધમોને કોણ ભણાવશે પાઠ? કોણ છે એ નરાધમો જેણે માસૂમને પણ ન બક્ષી? શું આવા નરાધમોને કડક સજા ન થવી જોઈએ?
પોલીસની કામગીરી
સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓની માહિતી આપનારને એક લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસના 200થી વધારે કર્મીઓ કામે લાગ્યા, 50 જેટલા શંકમંદોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ આરોપીઓના નવા સ્કેચ જાહેર કર્યાં છે પણ હજુ સુધી પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી.