જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટના અંગે સરકારે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ઘટના અને તેની અસરનો ઝડપથી અભ્યાસ કરશે.
જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટના અંગે સમિતિની રચના
સમિતિમાં પર્યાવરણ અને વન મંત્રાલય સહીત અને મંત્રાલય સામેલ
સીએમ પુષ્કર સિંહ ધામી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે
જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટના અંગે સરકારે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ઘટના અને તેની અસરનો ઝડપથી અભ્યાસ કરશે. જલ શક્તિ મંત્રાલય દ્વારા જારી કરાયેલ કાર્યાલય મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે સમિતિમાં પર્યાવરણ અને વન મંત્રાલય, સેન્ટ્રલ વોટર કમિશન, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અને સ્વચ્છ ગંગા મિશનના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે.
સીએમ સતત લઇ રહ્યા છે જાણકારી
જોશીમઠમાં જમીન ધસી પડવાની અને અનેક મકાનોમાં તિરાડો પડવાની ઘટના બાદ રાજ્ય સરકાર પણ ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે. સીએમ પુષ્કર સિંહ ધામી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
જોશીમઠમાં જમીન ધસી જવાના કિસ્સામાં સમિતિની રચના
કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિ જમીન ધસી જવાની ઘટનાનો અભ્યાસ કરશે અને તેના કારણો અને અસરો શોધી કાઢશે. કમિટી ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. જલ શક્તિ મંત્રાલયના મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ વસાહતો, ઈમારતો, હાઈવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નદી પ્રણાલી પર જમીન ઘટવાથી થતી અસરોને શોધી કાઢશે.
સીએમ ધામી જોશીમઠની મુલાકાત લેશે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આજે જોશીમઠની મુલાકાત લેશે. જમીન ધસી જવાની ઘટનાની સમીક્ષા કરીને મુખ્યમંત્રી અસરગ્રસ્તોને પણ મળશે. આ પહેલા શુક્રવાર (6 જાન્યુઆરી)ના રોજ સીએમ પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં આ મુદ્દે એક બેઠક યોજાઈ હતી. રાજ્યના ડીજીપી, અધિક મુખ્ય સચિવ, અધિક સચિવ અને આપત્તિ અધિકારીએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. મીડિયા સાથે વાત કરતાં પુષ્કર ધામીએ કહ્યું હતું કે જીવન બચાવવું એ પ્રથમ પ્રાથમિકતા છે.
Joshimath land subsidence | Uttarakhand CM Pushkar Singh Dhami to visit Joshimath today
1000s of people are affected due to it. CM Pushkar Singh Dhami will come here today to take stock of the situation. We're hopeful that he'll announce a package: Joshimath Municipal President pic.twitter.com/N2ycHSRA8I
6000 ફૂટની ઉચાઈએ આવ્યું છે શહેર
ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં કેટલાય ઘરોમાં તિરાડો પડી જતાં કેટલાય પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સિસ્મિક એક્ટિવિટી સાથે ઘણા ઘરોમાં તિરાડો પડી રહી છે. રાજ્યના ચમોલી જિલ્લામાં 6,000 ફૂટની ઊંચાઈએ બદ્રીનાથ અને હેમકુંડ સાહિબના માર્ગ પર આવેલું આ શહેર ઉચ્ચ જોખમી ધરતીકંપના 'ઝોન-5'માં આવે છે. અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 561 મકાનોમાં તિરાડો પડી ગઈ છે.