તાજા સમાચાર મુજબ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ 2021માં કાવડ યાત્રાના આયોજનને મંજૂરી આપી દીધી છે. આ પહેલા ગુરુવારે ધામીની અધ્યક્ષતામાં થયેલા આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાવડ યાત્રાનાં આયોજનને લઈને વિચાર કર્યા બાદ કહેવામાં આવ્યું છે કે અનેક શરતોની સાથે પ્રવાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. સીએમ ધામીએ કહ્યું કે પડોસી રાજ્યોની સાથે તમામ પક્ષો પર ચર્ચા કરવામાં આવે અને સુનિશ્ચિત કરવામાં આવે કે યાત્રા કેટલી સુરક્ષિત રીતે કરી શકાય તેમ છે. બેઠકના પરિણામ આવ્યા બાદ યાત્રા સુનિશ્ચિત કરી શકાય. ત્યારે ઉત્તર પ્રદેશથી પણ સમાચાર આવી રહ્યા છે કે શુક્રવારે મુખ્યમંત્રી યોગીએ એક મહત્વની બેઠક બોલાવી છે.
આ પહેલા ઉત્તરાખંડે આના પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી
સીએમ ધામીની ગુરુવારની બેઠકમાં અનેક વિભાગે કાવડ યાત્રાને લઈને જાણકારી આપી. ઉત્તરાખંડે 30 જૂને આ વર્ષે કાવડ યાત્રા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. પરંતુ પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશે આ યાત્રાને મંજૂરી આપી દીધી છે. યુપીના પડોશી રાજ્યો સાથે વાત કરીને આ યાત્રાને સુનિશ્ચિક કરવા કવાયદ હાથ ધરી છે.
કાવડ યાત્રા થશે પરંતુ...
સીએમ ધામીએ ગુરુવારે બેઠકમાં પ્રશાસનનને જે રીતે આદેશ આપ્યા. તેનાથી શક્યતા બની ગઈ હતી કે કોવિડને ધ્યાનમાં રાખી કાવડ યાત્રા શરતો સાથએ નિકળશે. કાવડ યાત્રાથી કોરોનાનું સંકટ પેદા ન થાય તે માટે કોવિડ પ્રોટોકોલો સાથે આ યાત્રા નિકળશે.
ઉત્તર પ્રદેશનું શું છે વલણ
કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા યાત્રાની પરવાનગીના જાહેરાત કર્યા બાદ પડોશી રાજ્યો સાથે તમામ પ્રક્રિયા સુશિનિશ્ચત કરવા વાત કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ધામી સાથે વાતચીત બાદ સીએમ યોગીએ શુક્રવારે ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી છે. જેમાં કાવડ યાત્રાના સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.