લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ મોટા ફેરફાર કરવાનાં મૂડમાં છે. કર્ણાટક બાદ હવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે તમામ જિલ્લા સમિતિઓને ભંગ કરી દીધેલ છે. કોંગ્રેસ ધારાસભ્ય અજય કુમાર લલ્લુને પૂર્વી ઉત્તર પ્રદેશનાં સંગઠનનાં ફેરબદલનાં પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. કોંગ્રેસ ધારાસભ્ય અજય કુમાર લલ્લુએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અમારી ઉપર ભરોસો કરતા જે જવાબદારી સોંપી છે તેને પૂર્ણ કરવા માટે તમામ પ્રકારની કોશિશ કરીશ.
લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ મોટા ફેરફાર કરવાનાં મૂડમાં છે. કર્ણાટક બાદ હવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે (Congress) તમામ જિલ્લા સમિતિઓને ભંગ કરી દીધેલ છે. કોંગ્રેસ ધારાસભ્ય અજય કુમાર લલ્લુને પૂર્વી ઉત્તર પ્રદેશનાં સંગઠનનાં ફેરબદલનાં પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. પશ્ચિમી યૂપીનાં પ્રભારીનું એલાન હજી સુધી નથી કરવામાં આવેલ.
સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી રજૂ પ્રેસ પ્રકાશનમાં કહેવામાં આવ્યું કે, તાજેતરમાં જ થનાર વિધાનસભા ચૂંટણીને માટે પ્રત્યેક સીટ પર બે સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સિવાય ત્રણ સભ્યોની અનુશાસન સમિતિનું પણ ગઠન કરવામાં આવેલ છે, જે મળી રહેલ ફરિયાદો પર કાર્યવાહી કરશે. તમને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ 13 વિધાનસભા સીટો ખાલી થઇ છે, જેનાં પર ટૂંક સમયમાં જ ચૂંટણી થવાની છે. કોંગ્રેસ ચૂંટણીને આધારે હાર બહાર નીકળવા ઇચ્છે છે.
કોંગ્રેસ ધારાસભ્ય અજય કુમાર લલ્લુ (ajay kumar lallu) એ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અમારી ઉપર ભરોસો કરતા જે જવાબદારી સોંપી છે તેને પૂર્ણ કરવા માટે તમામ પ્રકારની કોશિશ કરીશ. આજનાં બદલાતા આ રાજનીતિક માહોલમાં સંગઠનને ઉભું કરવાનો પડકાર છે, પરંતુ અમે સંપર્ક, સંવાદ અને સંઘર્ષને આધારે પાર્ટીને મજબૂતી આપવાની દિશામાં કામ કરીશું.
અજય કુમારે કહ્યું કે, હવે અમારી ઉપર વધારે જવાબદારી છે, એવામાં અમે સદનથી લઇને માર્ગ સુધી સંઘર્ષ કરવાનું કામ કરીશું. ઉત્તર પ્રદેશમાં માર્ગ પર લડવાની વાત હોય, સંપર્ક કરવાની વાત અથવા તો પછી સંવાદ કરવાની વાત. આ તમામ ચીજોને જોડવાની જરૂરિયાત છે.
કોંગ્રેસનું જે કલ્ચર રહ્યું છે અને જે વિચારધારા છે તે અંતર્ગત અમે ઘરે-ઘરે જઇશું અને સંવાદ કરીને લોકોનો વિશ્વાસ જીતવાનું કામ કરીશું. તમને જણાવી દઇએ કે 2017ની વિધાનસભા ચૂંટણી બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાં પોતાની સીટ નથી બચાવી શક્યાં.