યુપીમાં 21 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમાં કાનપુરના ડીએમ નેહા શર્માનું નામ પણ સામેલ છે. જાણકારી અનુસાર નેહા શર્માને સ્થાનિક સંસ્થાના ડાયરેક્ટરનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ સાથે જ લખનઉના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશને ઉદ્યોગ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે જ 9 જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટની બદલી કરવામાં આવી છે.
કાનપુર હિંસા બાદ યોગી સરકારે કરી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે કાનપુરમાં જુમ્માની નમાઝ બાદ બે જૂથ સામસામા આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો આ ઘટનાને કારણે ભારે તંગદિલિ ફેલાઈ હતી, યોગી સરકારે આ બદલ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યાં છે અને તેથી તેમની સામે મોટી કાર્યવાહી કરી છે.