ઉનાળામાં અમુક મસાલાનાં સેવનથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. જાણો ક્યા ક્યા છે આ મસાલા
ઉનાળામાં અમુક મસાલાનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ
નહીતર સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો કરવો પડે છે સામનો
સીમિત માત્રામાં સેવનથી તકલીફ પડતી નથી
શાકભાજીનો ટેસ્ટ વધારવામાં મસાલાનું ઘણું યોગદાન હોય છે. પરંતુ એ જરૂરી નથી કે બધી સીઝનમાં મસાલા તમારી હેલ્થ માટે સારા રહે. અમુક આવા જ મસાલા ઉનાળામાં ન લેવા જોઈએ. જોકે સીમિત માત્રામાં સેવન કરશો, તો નુકસાન નહીં થાય. પરંતુ જો તમે વધારે માત્રામાં આ મસાલાઓનું સેવન કરો છો, તો મોટા નુકસાન ભોગવવા પડશે. આવો જાણીએ કે એવા ક્યા ક્યા મસાલા છે, જેનાં વધારે સેવનથી તકલીફ પડી શકે છે.
હળદરનો વધારે ઉપયોગ ન કરો
સૌ જાણે છે કે તમારા બોડીમાં હળદર સારી રહે છે, પરંતુ જો તમે તેનો વધારે માત્રામાં ઉપયોગ કરો છો, તો તમારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે. ખાસકરીને મહિલાઓએ પીરિયડ્સમાં સીમિત માત્રામાં જ હળદરનો ઉપયોગ કરવો જોઈએ કેમકે એવો દાવો છે કે હળદરનું વધારે સેવન કરવાથી વધારે બ્લીડિંગ થાય છે.
તુલસીનું સેવન ઘટાડો
ત્યાર બાદ તુલસીનો પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ. ઓછા લોકો જાણતા હશે કે તુલસીનાં વધારે સેવનથી બ્લડ પ્રેશર ઘટી શકે છે. સાથે જ મહિલાઓની ફર્ટીલિટીને પણ પ્રભાવિત કરી શકે છે.
તજનો ઉપયોગ ઓછો કરો
તજનાં ઘણા ફાયદા હોય છે, પરંતુ જણાવી દઈએ કે તેના વધારે ઉપયોગથી મોંમાં છાલા પડી જાય છે. સાથે જ તેના વધારે સેવનથી બ્લડ પ્રેશર ઓછું થઇ શકે છે.
કાળા મરી
કાળા મરીનાં વધારે પડતા સેવનથી તકલીફ પડી શકે છે. સૌ જાણે છે કે તેનાંથી વજન ઘટે છે, પરંતુ જો કોઈને બ્લડ ક્લોટિંગની સમસ્યા છે, તો તેમના માટે કાળા મારી ફાયદાકારક નથી.