ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહાસચિવ અને રાષ્ટ્રીય સ્વાભિમાન આંદોલનના દિગ્ગ્જ વિચારક K N ગોવિંદાચાર્યએ ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે દેશમાં આધાર કાર્ડ માટે ઉઘરાવવામાં આવેલ ડેટાનો National Population Register NPR માટે ઉપયોગ કરવામાં આવે.
ગોવિંદાચાર્યના મતે 'આધાર + NPR' વડે રાષ્ટ્રીય સંસાધનોની બચત થશે
NPR માટે ઘરે ઘરે જવાને બદલે આધાર, PAN કાર્ડ વગેરેનું સંકલન વધુ સહેલું છે.
જુના National Population Register NPRની માહિતીને આધારના નવા ડેટા મર્જ કરીને નવું National Population Register NPR બનાવવામાં આવે તેવી K N ગોવિંદાચાર્યએ અપીલ કરી હતી.
ફક્ત 5% વસ્તીને વેરીફાય કરવાની જરૂર છે
ગોવિંદાચાર્યના મતે આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, વોટર ID કાર્ડ વગેરેની માહિતીનો ઉપયોગ NPR અને NCRમાં કરવામાં આવે તો ઘણી બધી મહેનત બચી જાય તેમ છે. આમ કરવાથી દેશની ફક્ત 5% વસ્તીને જ વેરિફિકેશનની જરૂર છે. તેમના મતે 'આધાર + NPR'નું વિઝન UPA સરકાર દ્વારા રચવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે પહેલું NPR 2010-11માં UPA સરકાર વડે શરૂ કરવામાં આવ્યું હતું. 2015માં NDA સરકારે તેને અપડેટ કર્યું હતું. અહેવાલ પ્રમાણે NPRમાં 115 કરોડ લોકોનો સમાવેશ થાય છે જેનો ડેટાબેઝ હવે અપડેટ કરવો પડશે.
ગોવિંદાચાર્યના મતે આધારનો ડેટા 125 કરોડ લોકોની માહિતી છે. આ માહિતી NPR માટે ઉપયોગી થઇ શકે છે.
કેન્દ્રીય કેબિનેટ વડે વસ્તી ગણતરી માટે 8754 કરોડ અને NPR માટે 3941 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગોવિંદાચાર્યના મતે 'આધાર + NPR' વડે રાષ્ટ્રીય સંસાધનોની બચત થશે અને કરોડો લોકોને અગવડથી મુક્ત રાખી શકાશે.
દેશમાં 100 કરોડથી વધુ મોબાઈલ કનેક્શન્સ છે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યો આ પ્રકારના રિપોર્ટ્સ બનાવતા હોય છે. NPR માટે ઘરે ઘરે જવાને બદલે આ પ્રકારના અહેવાલોનું સંકલન વધુ સહેલું છે.
આટલા લોકોનો ડેટા ઉપલબ્ધ છે
રાજ્ય સરકારો અને કેન્દ્રના અહેવાલોના આંકડા મુજબ તેમણે જણાવ્યું હતું કે દેશમાં આશરે 90 કરોડ લોકો 18 વર્ષથી ઉપરના છે જેઓ વોટર લિસ્ટમાં છે, 6.8 કરોડ લોકો ભારતીય પાસપોર્ટ ધરાવે છે, 9.31 કરોડ લોકો ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે અને 42 કરોડ લોકો PAN કાર્ડ ધરાવે છે. આ ઉપરાંત કરોડો લોકો જમીન, ઘર, ઇન્ડસ્ટ્રી જેવી નોંધણી કરાવેલી પ્રોપર્ટી ધરાવે છે. આ લિસ્ટમાંથી ઇન્કમટેક્સ અને GST નિયમિત ભારત કરોડો નાગરિકોને સત્તાવાર નાગરિક ગણાવી શકાય. આમ કરવાથી ડેટા ડુપ્લીકેટ થતો બચાવી શકાય છે.
આમ દેશની આશરે 95% વસ્તીનો ડેટા ઓછી મહેનતે ઉપલબ્ધ કરી શકાશે બાકીના 5% એટલે કે આશરે 7 કરોડ લોકોનો ડેટા ઓછા ખર્ચે વ્યવસ્થિત રીતે લઇ શકાશે. આમ ભારતીય અર્થતંત્ર ઉપર આ પ્રવૃત્તિનો ભારણ નહિ આવે.