કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. વિશ્વનાં ઘણા દેશોમાં લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. એવામાં ગરીઓની હાલાત સૌથી વધારે કફોડી બની છે. ત્યારે પાકિસ્તાનમાં હિંદુ અને ખ્રિસ્તીઓને જમવાનું પણ આપવામાં આવતું નથી, જેના પર અમેરિકન સંસ્થાએ કડક ટીપ્પણી કરી છે.
પાકિસ્તાનમાં લઘુમતી સાથે ભેદભાવનો મામલો
હિંદુ અને ખ્રિસ્તીઓને અન્ન સહાયમાં ભેદભાવ
અમેરિકાની એજન્સીએ ટીકા કરી
આસ્થાના કારણે કોઈને ખોરાકની ના પાડી શકાય નહીં
USCIRF ( U.S. Commission on International Religious Freedom ) ના કમિશનર અણુરીમા ભાર્ગવે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણના કારણે પાકિસ્તાનમાં ઘણા પરિવાર ભૂખ સામે લડી રહ્યા છે. કોઈની આસ્થાના કારણે તેને અન્નની ના પાડી શકાય નહી. અમે પાકિસ્તાનની સરકારને આગ્રહ કરીએ છે કે હિંદુ, ખ્રિસ્તી તથા અન્ય લઘુમતીઓમાં સમાન રીતે જ અન્ન સહાય આપવામાં આવે.
લઘુમતી સાથે ભેદભાવનાં અહેવાલ
નોંધનીય છે કે પાકિસ્તાનના ઘણા વિસ્તારથી એવા અહેવાલ સામે આવ્યા હતા જેમાં ગરીબોને ખોરાક આપવામાં પણ ભેદભાવ કરવામાં આવતો હતો. એનજીઓ દ્વારા આપવામાં આવતા ભોજનમાં હિંદુ અને ખ્રિસ્તી પરિવારો સાથે અન્યાય કરવામાં આવતો હતો. આ પહેલાં પણ વાર્ષિક અહેવાલમાં USCIRFએ નોંધ્યું હતું કે પાકિસ્તાનમાં હિંદુ અને ખ્રિસ્તીઓની સુરક્ષાને લઇ સતત ધમકીઓ આપવામાં આવે છે.
એજન્સીએ કહ્યું કે કરાંચીમાં NGO દ્વારા આપવામાં આવતી સહાયમાં હિંદુ અને ખ્રિસ્તીઓને નકારવામાં આવી રહ્યા છે. તથા તે મુસ્લિમો માટે જ આરક્ષિત છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
એજન્સીએ વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન ખાન એક તરફ જ્યાં કોરોનાની જંગમાં ભૂખથી લડવા માટે પણ તૈયારી દર્શાવી હતી ત્યારે આ લડતમાં દેશનાં લઘુમતી સમુદાય પાછળ ન રહી જાય તેની તકેદારી રાખવી જરૂરી છે.