કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ભૂલોના કારણે ચીન અને પાકિસ્તાન એકબીજાની નજીક આવ્યા.
બુધવારે રાહુલ ગાંધીએ લોકસભામાં સરકાર પર આકરા પ્રહાર કર્યા
કેન્દ્રની ભૂલના કારણે ચીન પાકિસ્તાન નજીક આવ્યાનો આક્ષેપ
અમેરિકાની આ મુદ્દે પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ભૂલોના કારણે ચીન અને પાકિસ્તાન એકબીજાની સાથે આવ્યા અને ભાગીદાર બન્યા. આ મુદ્દે હવે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાની પ્રતિક્રિયા સામે આવી છે.
અમેરિકા રાહુલની કોમેન્ટ સાથે સહમત નથી
રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિનઅસરકારક નીતિઓને કારણે ચીન અને પાકિસ્તાન પહેલા કરતા એકબીજાની વધુ નજીક છે.
જ્યારે રાહુલના નિવેદન પર સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે, "આ પાકિસ્તાન અને ચીનનો મુદ્દો છે અને તેને તે બે દેશો પર છોડી દેવો જોઈએ." તેણે કહ્યું કે હું ચોક્કસપણે તે કોમેન્ટ્સનેને સમર્થન નહીં આપું.
રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ આડકતરી રીતે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દેશને શહેનશાહની જેમ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દેશ મોટાં સંકટનો સામનો કરી રહ્યો છે: રાહુલ
સરકારની નીતિઓને કારણે આજે દેશ આંતરિક અને બાહ્ય મોરચે 'મોટા સંકટ'નો સામનો કરી રહ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારની નીતિના કારણે આજે ચીન અને પાકિસ્તાન એક સાથે આવ્યા છે.
હવે અટકી જવાની આપી સલાહ
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમે મોટા ખતરા સાથે રમી રહ્યા છો. મારી સલાહ છે કે હવે થોભો.” સરહદ પર ચીનની આક્રમકતા અને પાકિસ્તાનની સરહદ સંબંધિત પડકારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “તમે ધમકીને હળવાશથી ન લો. તમે ચીન અને પાકિસ્તાનને સાથે લાવ્યા છો. મને કોઈ શંકા નથી કે ચીન પાસે ક્લિયર પ્લાન છે. અને ડોકલામ અને લદ્દાખમાં તેનો પાયો નાખવામાં આવ્યો છે. આ દેશ માટે મોટો ખતરો છે. તમે J&K અને વિદેશ નીતિમાં કેટલીક મોટી વ્યૂહાત્મક ભૂલો કરી છે. તમે બે મોરચાને એક મોરચામાં ફેરવી દીધા છે."
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી હતી, આ દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિનું સંબોધન સત્યથી દૂર છે અને બેરોજગારી વિશે કોઈ ઉલ્લેખ નથી. ગયા વર્ષે 3 કરોડ યુવાનોએ નોકરી ગુમાવી હતી. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે 50 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી હાલ ભારતમાં છે.
કેન્દ્ર સરકાર રાજ્યોને દબાવી ન શકે
તેમણે કહ્યું, "તમે ત્રણ હજાર વર્ષના ઇતિહાસ પર એક નજર નાખો. તમે મૌર્યવંશને જુઓ, અશોકને જુઓ. વાટાઘાટો અને સંમતિ વિના કોઈએ શાસન કર્યું નથી. દેશના દરેક રાજ્યના લોકોની પોતાની ભાષા છે, તેમની પોતાની સંસ્કૃતિ છે. તે વિવિધતાઓનો ગુલદસ્તો છે. ભારત કેન્દ્રની લાકડીના આધારે ચાલી શકે નહીં. દેશ ચલાવવા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વાતચીત જરુરી છે. કેન્દ્ર સરકાર રાજ્યોને દબાવી ન શકે.
બંધારણ ભારતને રાજ્યોનો સંઘ કહે છે, રાષ્ટ્ર નહીં
રાહુલ ગાંધીએ કહ્યું કે, બંધારણ એવું નથી કહેતું કે ભારત દેશ, ભારત રાજ્યોનું સંઘ છે. સરકારને ઇતિહાસનું જ્ઞાન નથી. સંવાદ વગર લોકો પર રાજ ન કરી શકે. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ, ભાષા, ઇતિહાસ હોય છે. કેન્દ્ર રાજ્યો પર કોઈ દબાણ લાવી શકે નહીં. આપણો દેશ સામાજિક નથી. દેશ ફૂલોના ગુલદસ્તા જેવો છે. કેન્દ્રની લાકડીથી દેશને ચલાવી શકાય નહીં.
સરકારે ખેડૂતોનો અવાજ ન સાંભળ્યો
રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતો રસ્તા પર બેસી ગયા, પરંતુ રાજાએ કોઈનો અવાજ સાંભળ્યો નહીં. સરકારના માળખામાં ખેડૂતો માટે કોઈ સ્થાન નથી. કાયદાઓ પાછા ખેંચવા અંગે રાહુલે કહ્યું કે, આ સરકાર અસમંજસમાં છે.