ઉર્ફી જાવેદ થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં પોતાના એક ડ્રેસને કારણે ચર્ચિત બની હતી. સોશિયલ મીડિયામાં ઉર્ફી અને તેના ડ્રેસને લઇને કેટલાંક મીમ્સ પણ બન્યાં છે.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ઉર્ફીએ ઠાલવ્યો બળાપો
હું મુસ્લિમ હોવાથી મને ટાર્ગેટ કરવામાં આવે છે
મને ટ્રોલ ના કરો, બળાત્કારના આરોપીને ટ્રોલ કરો તો દેશમાં ફેરફાર થાય
જેમાં એક મીમ્સમાં ઉર્ફીની તસ્વીરની સાથે એવુ પણ લખવામાં આવ્યું કે, તેમણે પોતાના ધર્મ મુજબ બુરખો પહેરીને બહાર નિકળવુ જોઈએ. એવામાં ઉર્ફીએ મીમ્સને શેર કરી જવાબમાં લખ્યું કે, હું મુસ્લિમ છું, એટલે મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.
મુસ્લિમ હોવાથી મને ટાર્ગેટ કરાય છે: ઉર્ફી જાવેદ
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમ્યાન ઉર્ફીએ જણાવ્યું કે, મારી સાથે હંમેશા આવુ થાય છે. હું જ્યારે કોઈ પણ તસ્વીર શેર કરુ છુ ત્યારે મને બુરખો પહેરવાની સલાહ આપવામાં આવે છે. એટલું જ નહીં લોકો મને કહે છે કે તમારી પર તો ફતવો જાહેર કરી દેવો જોઈએ. જોકે, મને આ બધી કોમેન્ટો પર કોઈ અસર થતી નથી. ઉર્ફીએ વધુમાં કહ્યું, જો ફતવો જાહેર કરવો હોય તો કરી દો. હું તો હંમેશા આવા જ કપડા પહેરુ છું અને હું મારી મરજીમુજબ જ કપડાં પહેરીશ. તમે કોઈને કેમ ટોકો છો. જ્યારે હું કોઈને નુકસાન પહોંચાડતી નથી તો લોકો પછી હોબાળો કેમ કરે છે?
બળાત્કારના આરોપીને ટ્રોલ કરો તો દેશમાં ફેરફાર આવે: ઉર્ફી જાવેદ
અશ્લિલ ટીપ્પણીઓ પર ઉર્ફીએ કહ્યું, મેં તો કોમેન્ટ વાંચવાની બંધ કરી દીધી છે. હવે તો હદ થઈ ગઈ છે લોકો મને બળાત્કારની ધમકીઓ આપે છે. એટલું જ નહીં, લોકોએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. લોકો લખે છે, આ નિમ્ન સ્તરની મહિલા છે. તેનો રસ્તા પર બળાત્કાર થવો જોઈએ. તેને મારી નાખવી જોઈએ. આ સાંભળી મને હસવુ આવે છે કે આ બધુ તમે મને કહો છો. જો આ વાત તમે કોઈ બળાત્કારના આરોપીને કહી હોત અને તેને ટ્રોલ કર્યો હોત તો કદાચ સિસ્ટમમાં ફેરફાર થયો હોત.