UPSCની પરીક્ષા સૌથી મુશ્કેલ પરીક્ષામાંથી એક માનવામાં આવે છે. દિવસ રાતની મહેનત અને ખૂબ જ અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી પ્રી અને મેન્સ પરીક્ષા તો પાસ કરી લે છે પરંતુ જ્યારે વાત ઇન્ટવ્યૂની આવે તો એમાં 2/3 લોકો ફેલ થઇ જાય છે. એવામાં ઉમેદવારોને ધ્યાનમાં રાખતાં UPSC નવો નિયમ લાવવાની યોજના બનાવી રહ્યું છે. જ્યાં ઇન્ટરવ્યૂમાં ફેલ થતા ઉમેદવારોને બીજી સરકારી નોકરી આપવામાં આવશે.
જે ઉમેદવારો ઇન્ટરવ્યૂમાં સફળ રહેતા નથી તે લોકો માટે યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને કેન્દ્રીય મંત્રાલયો અને એન્જસીઓને સિવિલ સેવા પરીક્ષાના એ ઉમેદવારોની ભરતી માટે ભલામણ કરી છે. જો આવું થાય છે તો યુવાઓ માટે સારા રોજગારની તક ખોલી શકાય છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર યૂપીએસસીના અધ્યક્ષ અરવિંદ સક્સેનાએ જણાવ્યું કે ' અમે કેન્દ્ર સરકાર અને મંત્રાલયોને એવા લોકોની ભરતી કરવાનો પ્રસ્તાવ આપ્યો છે જે સિવિલ સેવા અને અન્ય પરીક્ષાઓમાં ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં ફેલ થઇ જાય છે. આ વાત તેમને તાજેતરમાં જ ઓડિશામાં આયોજિત રાજ્ય લોક સેવા આયોગના 23માં સંમેલનમાં કહી હતી.'
અરવિંદ સક્સેનાએ જણાવ્યું કે 1 વર્ષમાં આશરે 11 લાખ ઉમેદવાર UPSCની પરીક્ષામાં ભાગ લે છે. પછી પ્રી મેન્સ અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા થયા બાદ 600 ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.
એવામાં મોટી સંખ્યામાં એવા ઉમેદવારો પણ હોય છે જે વાઇવા વોઇસના અંતિમ તબક્કા સુધી પહોંચી જાય છે પરંતુ રેન્ક લાવવામાં અસફળ રહે છે. રાજ્ય અને અન્ય સંગઠન ભરતી દરમિયાન એની પર વિચાર કરી શકે છે કારણ કે એ પહેલાથી જ મુશ્કેલ સ્ક્રિનીંગ પ્રક્રિયામાંથી પસાર થઇ ચુક્યા હોય છ અને માત્ર અંતિમ તબક્કમાં અસફળતા જોવી પડે છે. જો આવું થાય છે તો યુવાઓમાં પરીક્ષાનો તણાવ ઓછો કરવામાં મદદ મળશે. સાથે જ એમના મગજમાં નોકરીને લઇને આશા બનેલી રહેશે.
અરવિંગ સક્સેનાએ જણાવ્યું કે UPSCની પરક્ષાને ઉમેદવાર ફ્રેન્ડલી બનાવવા માટે ઘણા પગલા ભરવામાં આવી રહ્યા છે. એમને કહ્યું કે આવનારી સિવિલ સેવા પરીક્ષાઓ માટે આવેદન કરનાર ઉમેદવારને જલ્દીથી જ પોતાના આવેદન ફોર્મને પાછા લેવાનુ પણ વિકલ્પ આપવામાં આવશે.
પરીક્ષા પ્રક્રિયાને ઉણેદવારો માટે પારદર્શી બનાવવા માટે UPSC ઘણા ઉપાય કરી રહી છે. આયોગ ધીરે ધીરે કાગળ અને પેન્સિલ આધારિત પરીક્ષાની જગ્યાએ કોમ્પ્યૂટર આધારિત પરીક્ષા લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
એમને કહ્યું જ્યારે ઉમેદવાર પરીક્ષા માટે ઓનલાઇન આવેદન કરશે તો આવેદન માટે એક જનરેટ કરવામાં આવશે. જે સ્તર પર ઉમેદવારને વિકલ્પ આપવામાં આવશે કે તેઓ ઇચ્છે તો પોતાનું ફોર્મ પાછું લઇ શકે છે.