ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર કેકેનું મંગળવારે નિધન થયું છે. કેકેના મૃત્યુના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. હવે તેના નિધન બાદ એક મોટો ખુલાસો થયો છે.
હોલમાં કેપેસિટી કરતાં ડબલ ભીડ હતી
હોલના બધા AC બંધ હતા
સિંગરના મોત બાદ લાગ્યા ગંભીર આરોપ
બોલિવૂડ સિંગર કેકેનું મંગળવારે કોલકાતામાં લાઇવ કોન્સર્ટ બાદ 53 વર્ષની ઉંમરે નિધન થયું. કેકે કોલકાતામાં નઝરૂલ મંચ પર પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા. કેકેના મૃત્યુ અંગે અનનેચરલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો છે અને પરિવારની સંમતિ મળ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. હવે એક નવો ખુલાસો થયો છે. અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે અને શાક્ષીઓએ જણાવ્યા અનુસાર કેકેના મોતનું કારણ ઓર્ગેનાઈઝર્સનું મિસમેનેજમેન્ટ હતું.
સોશિયલ મીડિયા પોસ્ટમાં અમુક ત્યાં હાજર લોકોએ લખ્યું - બંધ ઓડિટોરિયમમાં ઘણી ભીડ હતી અને એસી કામ કરી રહ્યું ન હતું. કેકેએ એક દિવસ અગાઉ પણ AC અંગે ફરિયાદ કરી હતી. આ મૃત્યુ સામાન્ય ન હતું.
2000-2500ની ક્ષમતા હતા 5000 લોકો પહોંચ્યા
માહિતી અનુસાર KKના કોન્સર્ટમાં લગભગ 5000 લોકો પહોંચ્યા હતા. જ્યાં કોન્સર્ટ થઈ રહ્યો હતો, ત્યાં માત્ર 2000-2500 લોકોની ક્ષમતા હતી. ટોળાને વિખેરવા માટે ગેસનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં કેટલાક લોકો બળજબરીથી કાર્યક્રમ જોવા માટે ત્યાં ઘુસી રહ્યા હતા.
યુઝર્સે કરી છે સોશિયલ મીડિયા પર પોસ્ટ
નિલોફર હુસૈને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે. તેણે લખ્યું – નઝરુલ મંચ (કોન્સર્ટનું સ્થળ)માં AC કામ કરતું ન હતું. તે જ જગ્યાએ કેકેએ એક દિવસ અગાઉ પણ પરફોર્મન્સ આપ્યું હતું. તેણે ACને લઈને ફરિયાદ પણ કરી હતી, કારણ કે તે દિવસે પણ તેને ખૂબ પરસેવો થતો હતો.
Singer KK's demise: Case of unnatural death registered, post-mortem to be conducted in Kolkata today
મોતને લઈને વધી રહ્યું છે સસ્પેન્સ
સિંગર કેકેના મૃત્યુને લઈને કોલકાતામાં સસ્પેન્સ વધી ગયું છે. તેના કપાળ અને હોઠ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસ કેકેના મૃત્યુના સંબંધમાં આયોજકો અને હોટલ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન ગુરુદાસ મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું અને આ ફેસ્ટનું નામ આપવામાં આવ્યું હતું – ઉત્કર્ષ 2022. કાર્યક્રમનું આયોજન નઝરૂલ મંચમાં કરવામાં આવ્યું હતું. હાલ ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે સંગીતકારનું મૃત્યુ શારીરિક બિમારીને કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર.