ગોરખપુર સદર બેઠક પર મુખ્યમંત્રી યોગી સામે પડકાર ફેકી ચૂંટણી લડનાર ચંદ્રશેખર આઝાદને માત્ર 4500 મત મળતા ચૂંટણી ડિપોઝિટ જપ્ત
મોદી-યોગીની જોડીએ કરી દીધી કમાલ
યુપીમાં 250ને પાર ભાજપ
કાર્યકરોએ કરી જીતની ભવ્ય ઉજવણી
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં 37 વર્ષ બાદ ઈતિહાસ રચાયો છે.ભાજપ સરકાર સતત બીજી ટર્મ માટે સત્તામાં આવી છે...અને બંપર જીત મેળવી છે...ગોરખપુરના સાંસદ રહેલા યોગી આદિત્યનાથે એ સાબિત કરી દીધું કે યુપીમાં તેમના કદનો કોઈ જ નેતા નથી.
ચંદ્રશેખર આઝાદ ગોરખપુર સદર બેઠક પરથી સીએમ યોગી સામે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર સદર બેઠક પરથી ચૂંટણી લડી હતી. આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે તેમની સામે મેદાનમાં ઉતરીને ઘણી ચર્ચાઓ બનાવી હતી. સીએમ યોગીએ તેમની પરંપરાગત બેઠક જીતી લીધી છે. બીજી તરફ, ચંદ્રશેખર અહીંથી માત્ર ચૂંટણી જ ન હાર્યા, પરંતુ તેમની જમાનત પણ જપ્ત કરવામાં આવી. મુખ્યમંત્રી યોગી રેકોર્ડ બ્રેક 50 હજાર મતોથી જીતી ગયા છે.
ચંદ્રશેખર આઝાદને માત્ર 4501 મત મળ્યા
ચૂંટણી પંચના રિપોર્ટ પ્રમાણે પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડનાર યોગી આદિત્યનાથ 85,356 વોટ મળ્યા જ્યારે તેમની હરીફ સપા ઉમેદવાર સુભાવતી ઉપેન્દ્ર દત્ત શુક્લાને 30,498 વોટ મળ્યા છે. જયારે સીએમ યોગીને પોતાની જ બેઠક પર પડકારનાર ચંદ્રશેખર આઝાદને માત્રને માત્ર 4501 મત જ મળ્યા છે. જેથી તેમણે ભરેલી ચૂંટણી ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે.
'આઝાદ સમાજ પાર્ટીના સહયોગ વગર ઉત્તર પ્રદેશમાં સરકાર નહીં બને'
મહત્વનું છે કે ચંદ્રશેખર આઝાદે મોટા મોટા દાવા કર્યા હતા જેનું સુરસુરિયું થઈ ગયું છે. ચંદ્રશેખર આઝાદે તાલ ઠોકીને કહ્યું હતું કે તેમનો મોરચો 403 સીટ પર ચૂંટણી લડી રહ્યો છે. અને ભરોસો જતાવ્યો હતો કે આઝાદ સમાજ પાર્ટીના સહયોગ વગર ઉત્તર પ્રદેશમાં સરકાર નહીં બને.
યુપીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે.સ્પષ્ટ બહૂમતિ સાથે ભાજપની સરકાર બનવા જઈ રહી છે.પરંતુ ગુજરાતીમાં એક કહેવત છે કે ધોબીનો કુતરો ન ઘરનો ન ઘાટનો.કંઈક આવા જ હાલ થયા છે યોગી સરકારમાં મંત્રી રહેલા અને ચૂંટણી પહેલા ભાજપ છોડી ગયેલા નેતાઓનો.જેમાં સૌથી મોટું નામ છે સ્વામીપ્રસાદ મૌર્યનું.જેઓ કેબિનેટ મંત્રી હતા.પણ ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા.સપાએ ટિકિટ આપી.તો અન્ય ત્રણ મંત્રી પણ હતા જે વિપક્ષમાં ગયા બાદ આ વખતે ઉંધા માથાના પટકાયા છે.
મોટાભાગના બળવાખોર હાર્યા
2017માં જ્યારે પ્રચંડ બહૂમતિ સાથે જ્યારે ભાજપની સરકાર બની ત્યારે આ સરકારમાં કદ્દાવર મંત્રી રહેલા નેતાઓ અચાનક બાગી થઈ ગયા.અને ભાજપ છોડવા લાગ્યા.યોગી કેબિનેટનો ભાગ રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય, દારાસિંહ ચૌહાણ અને ધર્મસિંહ સૈની.આ તમામ આ વખતે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.હવે તમને થશે કે ભાજપનો સાથ છોડીને સપામાં ગયેલા આ મંત્રીઓનું શું થયું?.તેઓ હાર્યા કે જીત્યા?.2017માં ભાજપ સાથે રહેલા આવા કેટલાક બાગીઓની વાત કરીએ.જેમાં સૌથી પહેલા વાત સ્વામીપ્રસાદ મૌર્યની.કુશીનગરની ફાજિલનગર સીટથી સપાના ટિકિટ પર મેદાનમાં ઉતરેલા મૌર્યની હાર થઈ છે.જેમને ભાજપના ઉમેદવાર સુરેન્દ્રકુમાર કુશવાહે હરાવ્યા છે.ત્યારબાદ વાત કરીએ દારાસિંહ ચૌહાણની.તો દારાસિંહ ચૂંટણી પહેલા જ ભાજપનો સાથ છોડી સાયકલ પર સવાર થયા હતા.સપાએ તેમણે ઘોસી બેઠકથી મેદાનમાં ઉતાર્યા હતા.જેઓ શરૂઆતમાં તો પાછળ ચાલી રહ્યા હતા.પરંતુ અંતે તેમની જીત થઈ છે.તેમણે ભાજપના વિજયકુમાર રાજભરને હરાવ્યા છે.
ધર્મસિંહ સૈની પણ ઉંઘા માથે પટકાયા!
તો સહારનપુરની નકુલ વિધાનસભા સીટ પર ન માત્ર સમાજવાદી પાર્ટી પરંતુ ઉમેદવાર ધર્મસિંહ સૈનીની પણ શાખ દાવ પર લાગેલી હતી.ભાજપ છોડી સપામાં સામેલ થયેલા સૈની શરૂઆતમાં તો આગળ હતા.પરંતુ અંતિમ રાઉન્ડમાં ભાજપના મુકેશ ચૌધરી સામે તેમની હાર થઈ છે.આ સિવાય ભાજપના બાગી ભગવતી પ્રસાદ પણ સપાની ટિકિટ પર ઘાટમપુરથી ચૂંટણી લડ્યા હતા.પરંતુ તેમની હાર થઈ છે.ભાજપના સહયોગી અપના દળ સોનેવાલના સરોજે તેમને કારમી હાર આપી.તો ભાજપથી સપામાં ગયેલા બ્રિજેશ પ્રજાપતિ પણ ભાજપના રમેશ નિશાદ સામે હારતા જોવા મળ્યા.તો તિલહર સીટથી સપાની ટિકિટ પર લડેલા ભાજપના બાગી રોશન લાલ વર્માની જીત થઈ છે.
બાગીઓ ન ફાવ્યા
તો યોગી સરકારમાં મંત્રી રહેલા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરની જીત થઈ છે.તેઓ ઝહુરાબાદ ઈસ્ટ બેઠક પરથી મેદાનમાં હતા.અને તેમણે ભાજપ સાથે છેડો ફાડી સપા સાથે ગઠબંધન કર્યું હતું.જે તેમને માફક આવ્યું છે.અને જીત મેળવી છે.તો ચૂંટણી પહેલા સીતાપુર સદર બેઠકથી ભાજપના ધારાસભ્ય રાકેશ વર્મા બાગી બન્યા ત્યારપછી બળવાખોર જૂથ સક્રીય થયું.જે આગળ વધતું જ ગયું અને 12 ધારાસભ્યોએ પાર્ટી છોડી.જેમાં યોગી કેબિનેટના ચાર મંત્રીનો પણ સમાવેશ થતો હતો.પરંતુ જે પ્રમાણે પરિણામ આવ્યા છે તેના પરથી એટલું કહી શકાય કે મોટાભાગના બળવાખોરોને વિપક્ષ માફક ન આવ્યું.અને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.