આજે સાંજના 5.30 વાગ્યે યોગી કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે જેમાં સાત નવા મંત્રીઓને સ્થાન મળવાનું લગભગ નિશ્ચિત છે.
આજે સાંજના 5.30 વાગ્યે યોગી કેબિનેટનું વિસ્તરણ
નવા 7 મંત્રીઓને સ્થાન આપવામાં આવશે
2022 ની ચૂંટણી જીતી લેવા ભાજપનો મોટો પ્લાન
રાજભવનમાં સાંજના 5.30 વાગ્યે યોજાશે નવા મંત્રીઓના શપથગ્રહણ
2022 ની યુપી વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ કોઈ કસર છોડવા માંગતો નથી. ભાજપે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. રાજ્યમાં જાતિ સમૂદાયને સાધવા ભાજપે યુપી સરકારમાં નવા 7થી 8 ના ચહેરાઓને સ્થાન આપવાની તૈયારીમાં છે. આજે સાંજે 5.30 વાગ્યે યોગી કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે.
7-8 મંત્રીઓને જગ્યા મળી શકે છે
સાંજે 5.30 વાગ્યે યોગી કેબિનેટમાં સાતથી આઠ મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. મંત્રી પદના શપથ લેનારા નેતાઓમાં જિતિન પ્રસાદ, છત્રપાલ ગંગવાર, પલ્તુ રામ, દિનેશ ખટિક, કૃષ્ણ પાસવાન, સંગીતા બિન્ડ જેવા તાઓનો સમાવેશ થાય છે. સાતમું નામ ધરમવીર પ્રજાપતિનું હોવાનું કહેવાય છે.
રાજભવનમાં તૈયારીઓ શરૂ
રાજ્યપાલ આનંદીબેન પટેલ સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ આ મંત્રીઓને શપથ લેવડાવશે તેમ કહેવાય છે. તે બે વાગ્યે લખનઉ પહોંચશે. શપથ ગ્રહણ સમારોહની રાજભવનમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરાશે
૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓને સામેલ કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે. કોઈ જુના મંત્રીને પડતા નહીં મૂકવામાં આવે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. રાજ્યની ભાજપ સરકાર નવા મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ કરીને વંશીય અને પ્રાદેશિક સમીકરણો હાંસલ કરવાની વ્યૂહરચના છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદને કેબિનેટ મંત્રી બનાવાય તેવી શક્યતા
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદ બ્રાહ્મણ નેતા છે. ભાજપ બ્રાહ્મણ મતદારોને કેબિનેટમાં સ્થાન આપીને તેમને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. સંગીતા બિંદ નિશાદ પાર્ટીની છે. આ સિવાય છત્રપાલ ગંગવાર કુર્મી, પલ્તુ રામ ખતીક, દિનેશ ખટિક અને કૃષ્ણ પાસવાન દલિત જાતિમાંથી આવે છે. આ તમામ નેતાઓ દ્વારા બ્રાહ્મણો અને દલિતોને અધિકાર પ્રાપ્ત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે.