નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં ફક્ત દિલ્હીના શાહીન બાગમાં જ પ્રદર્શન થઈ રહ્યું નથી પણ દેશના અનેક શહેરોમાં કાયદો ફેલ રહ્યો છે. લખનઉ સહિત અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ પર કેસ નોંધવામાં આવ્યો છે.
CAAના વિરોધ પ્રદર્શન બાદ યોગી સરકાર એક્શનમાં
શાહીનબાગમાં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન
મુનવ્વર રાણાની બંને દીકરીઓના નામે પણ FIR
નાગરિકતા સંશોધન કાયદો (CAA)અને રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટર (NRC)ની વિરુદ્ધમાં ઉત્તરપ્રગેશના અનેક વિસ્તારોમાં પ્રદર્શન ચાલુ છે તો પ્રદર્શનકર્તાઓને લઈને યોગી સરકારનું એક્શન પણ શરૂ થયું છે. પ્રદેશમાં લગભગ 1200 પ્રદર્શનકર્તાઓની વિરોધમાં કલમ 144ના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે.
ક્યાં કેટલા લોકો પર કેસ નોંધાયો
યોગી આદિત્યનાથ સરકારે અલીગઢમાં 60 મહિલાઓ, પ્રયાગરાજમાં 300 મહિલાઓ, ઈટાવામાં 200 મહિલાઓ અને 700 પુરુષો પર કેસ નોંધ્યો છે. કેસ નોંધાયા બાદ પણ લખનુઉના ઘંટાઘરથી લઈને પ્રયાગરાજના મંસૂર અલી પાર્કમાં પ્રદર્શન ચાલુ છે. રાયબરેલીના ટાઉનહોલમાં મુસ્લિમ મહિલાઓ પ્રદર્શન કરી રહી છે.
આ વ્યક્તિની વિરુદ્ધમાં પણ કરાઈ છે પોલીસ ફરિયાદ
ઘંટાઘર પર નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓના વિરોધમાં અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં યૂપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિજવીની વિરોધમાં હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Lucknow: Complaint registered at Hazratganj police station against UP Shia Central Waqf Board chairman Waseem Rizvi for allegedly making derogatory comments against women who were protesting against Citizenship Amendment Act (CAA) at Ghanta Ghar.
લખનઉમાં મહિલાઓના વિરોધ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યો છે. પોલીસ પ્રદર્શનકારી મહિલાઓ પર કડક વલણ અપનાવી રહી છે અને કેસ નોંધ્યો છે. 2 દિવસ પહેલાં યૂપી પોલીસની તરફથી લખનઉમાં 3 કેસ નોંધવામાં આવ્યા છે. તેમાં જાણીતા શાયર મુનવ્વર રાણાની દીકરીના નામ પણ સામેલ છે.
કાયદો પાછો નહીં લેવાય ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે
યૂપીના કાનપુર, એટા, ઈટાવા, અલીગઢમાં પણ સીએએને લઈને ગોળબંધી કરવામાં આવી છે અને મહિલાઓ પ્રદર્શન કરી રહી છે. મહિલાઓનું કહેવું છે કે જ્યાં સુધી સીએએને મોદી સરકાર પાછો નહીં લે ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે.
Women continue to protest against the Citizenship Amendment Act and National Register of Citizens, at Ghanta Ghar in Lucknow pic.twitter.com/nqWp0l8LDl
આ સમયે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કાનપુરમાં સીએએના સમર્થનમાં યોજાયેલી રેલીમાં વિરોધમાં બેઠેલા મહિલાઓના પતિ પર પ્રશ્નો કર્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે પુરુષ ઘરમાં રજાઈમાં સૂઈ રહ્યા છે અને મહિલાઓ ધરણા પર બેઠી છે. મહિલાઓ કહી રહી છે કે પુરુષોએ કહ્યું છે કે તેઓ અક્ષમ બની ચૂક્યા છે.
કાનપુરમાં રેલીના સંબોધનમાં સીએમ યોગીએ કહ્યું કે શરણમાં આવનારાની રક્ષા કરવી ભારતની પરંપરા રહી છે. જે અલ્પસંખ્યકો પર અત્યાચાર થી રહ્યો છે તેના માટે કાયદો છે. જે વિરોધ કરી રહ્યા છે તેમને માટે હિંદુ, ઈસાઈ અને શિખ મહત્વના નથી. હવે કોંગ્રેસને માટે ઈસાઈ પણ મહત્વના નથી, તે કહે છે કે આઈએસઆઈના લોકો મહત્વના છે.