અનલૉક-2ની ગાઈડલાઈન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરી દેવાઈ છે. જે અનુસાર 31 જૂલાઇ સુધી દેશભરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે અને શાળા કોલેજો બંધ રહેશે. તો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લૉકડાઉનનું કડકાઇથી પાલન કરાવવામાં આવશે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા પણ અનલૉક-2ને લઇને કેટલીક રાહતો આપવામાં આવી છે.
રાજ્ય સરકારે અનલોક-2માં સમય મર્યાદા વધારી
અનલૉક-2માં તમામ દુકાનો સાંજે 8 સુધી રાખી શકાશે ચાલુ
રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
અનલૉક-2માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે અનલૉક-2માં સમય મર્યાદા વધારી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક-2 અંતગર્ત જે નવા દિશાનિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે બે મહત્વપૂર્ણ કર્યા છે. 1 જૂલાઇથી (બુધવાર) રાજ્યમાં તમામ દુકાનો સાંજે 8 સુધી ચાલુ રાખી શકાશે. તો હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.
અનલૉક-2 રાજ્ય સરકારની ગાઇડલાઇન જાહેર (નીચે મુજબના નિયમો કન્ટેઇન્મેન્ટ ઝોન સહિત સમગ્ર રાજ્યમાં લાગૂ રહેશે)
રાત્રિ કર્ફ્યૂઃ રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે, જોકે ફ્લાઇટ, ટ્રેન, બસથી આવનાર લોકોને નહીં રોકી શકાય
શૈક્ષણિક સંસ્થાનઃ રાજ્યમાં શાળા-કોલેજો બંધ રહેશે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઓનલાઇન અભ્યાસ કરાવી શકાશે
GSRTC બસ સેવાઃ GSRTCની બસો સમગ્ર રાજ્યમાં શરૂ થશે, અમદાવાદમાં નક્કી કરાયેલે બસ સ્ટેશન પરથી શરૂ થશે
સીટી બસ સેવાઃ અમદાવાદ/સુરતમાં 50 ટકા કેપેસિટી સાથે કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર શરૂ થશે, રાજ્યમાં 60 ટકા કેપેસિટી સાથે શરૂ થશે
પ્રાઇવેટ બસ સેવાઃ અમદાવાદ/સુરતમાં ખાનગી બસો SOP આધારે સર્વિસ ચાલુ રાખી શકાશે. રાજ્યમાં 60 ટકા કેપેસિટી સાથે શરૂ થશે
ઓટો રિક્ષાઃ ઓટો રીક્ષામાં 1 ડ્રાઇવર સાથે 2 મુસાફરોને મંજૂરી
કેબ, ટેક્સી સર્વિસઃ કેબ સર્વિસમાં 1 ડ્રાઇવર અને 2 મુસાફરોને મંજૂરી, મોટી કારમાં 1 ડ્રાઇવર સાથે 3 મુસાફરને મંજૂરી
ટૂ વ્હિલરઃ બાઇક સવાર સહિત 1ને મંજૂરી
ખાનગી ઓફિસઃ ખાનગી ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ચાલુ રાખી શકાશે
બેંક/સરકારી ઓફિસઃ બેંકો અને સરકારી કાર્યાલયો ફૂલ સ્ટાફ સાથે કાર્યરત રહેશે
કાર્યક્રમોઃ લગ્નમાં 50 લોકોને એકત્ર થવા મંજૂરી, અંતિમક્રિયામાં 20 લોકો ભેગા થઇ શકશે
લાઇબ્રેરીઃ લાઇબ્રેરીમાં 60 ટકા કેપિસિટી સાથે ચાલુ રાખી શકાશે
હોટલ/રેસ્ટોરન્ટઃ હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલ શરતો આધારે ચાલુ રાખી શકાશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ધાર્મિક સ્થળો ખોલી શકાશે.
ફેરિયાઓઃ શેરી અને સોસાયટીમાં આવતા ફેરિયાઓને SOP આધારે મંજૂરી
વેપાર માટે આંતર રાજ્ય મુસાફરીને મંજૂરી
માસ્ક પહેરવું ફરજિયાત રહેશે
પ્રતિબંધ રહેશેઃ સિનેમા હોલ, જીમ, સ્વીમિંગ પુલ, બાર, સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો અને મોટા પ્રમાણમાં લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ
કન્ટેઈન્મેન્ટ ઝોનમાં લૉકડાઉનનું કડક પાલન કરાવાશે
કન્ટેઈન્મેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સેવાઓને મંજૂરી
કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી સેવા ચાલુ રહેશે
કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે
રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
કન્ટેઈન્મેન્ટ ઝોન જિલ્લા અને કોર્પોરેશન દ્વારા નક્કી કરાશે
કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી કર્મચારીઓ બહાર નોકરી માટે નહીં જઇ શકે
મહત્વનું છે કે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર, દેશમાં ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો બંધ રહેશે. મોલ, થિએટર, જીમ, ઓડિટોરિયમ, એન્ટરટેઇમેન્ટ પાર્ક બંધ રહેશે. ડોમેસ્ટિક ફ્લાઇટ અને ટ્રેન મર્યાદિત સંખ્યામાં ચાલુ રહેશે. વંદે ભારત મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચાલુ રહેશે.