સંયુક્ત ખેડૂત મોર્ચાએ દાવો કર્યો છે કે 26 જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ બાદથી 100થી વધુ ખેડૂતો ગુમ છે. આ માટે તપાસ કરવા 6 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે.
સંયુક્ત ખેડૂત મોર્ચાએ કર્યો દાવો
ટ્રેકટર પરેડ બાદ 100થી વધારે ખેડૂતો થયા ગુમ
તપાસ માટે 6 સભ્યોની સમિતિની થઈ રચના
ખેડૂત યૂનિયનના સંયુક્ત ખેડૂત મોર્ચાએ દાવો કર્યો છે કે ગણતંત્ર દિવસે કરાયેલી ટ્રેક્ટર પરેડ બાદ તેમના 100થી વધારે ખેડૂતોના કોઈ સમાચાર નથી. તેઓએ આ કેસની તપાસ માટે 6 સભ્યોની સમિતિની રચના કરી છે. મળતી માહિતી અનુસાર ખેડૂત મોર્ચાખોવાયેલા લોકોની જાણકારી મેળવશે અને ઔપચારિક કાર્યવાહી માટે અધિકારીઓ સમક્ષ પગલાં લેશે. લાપતા લોકોને માટે કોઈ પણ જાણકારી આપવા માટે 8198022033 નંબર જાહેર કરાયો છે.
26 જાન્યુઆરીએ થઈ હતી પરેડ
ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીએ ખેડૂત યૂનિયનની ટ્રેક્ટર પરેડ થઈ હતી અને હજારો પ્રદર્શન કારીઓએ પોલિસ સાથે પણ મારપીટ કરી અને સાથે અનેક વાહનોને પલટી દીધા હતા. આ સાથે અનેક જગ્યાઓએ હિંસા પણ જોવા મળી હતી.
પત્રકારો અને અન્ય લોકોની ધરપકડની કરી નિંદા
સંયુક્ત ખેડૂત મોર્ચાએ પત્રકારો અને અન્ય લોકોની ધરપકડની નિંગા કરી છે. તેઓએ દાવો કર્યો કે આ આરોપ ખોટા અને ઉપજાવી દીધેલા છે. સરકાર ખેડૂત આંદોલનની વધતી તાકાતથી ડરી ગઈ છે. આ સિવાય દિલ્હીની સીમાઓ પર અને અનેક સ્થળોએ પ્રદર્શન બાદ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી છે. તેઓનું કહેવું છે કે સરકાર ઈચ્છતી નથી કે ખેડૂતોને સચ્ચાઈ ખબર પડે અને પ્રદર્શન સ્થળ પર ખેડૂત યૂનિયનો સમન્વિત થઈને કામ કરે. તે ડરી ગઈ છે.
આ પ્રશ્નો પણ કર્યા
મોર્ચાએ પ્રદર્શન સ્થળોની નાકાબંધી કરી અને સામાન્ય મીડિયા કર્મીઓને સિંધુ બોર્ડર પર પહોંચવાના આરોપ પણ લગાવ્યા. આ સાથે ભોડન અને પાણીના સપ્લાયને પણ રોકવામાં આવ્યું તેને લઈને પ્રશ્નો કર્યા છે.
મહારાષ્ટ્રના પ્રદર્શનકારીનું મોત
મોર્ચાએ દાવો કર્યો છે કે શાહજહાંપુરમાં આંદોલનમાં ભાગ લેનારા મહારાષ્ટ્રના એક પ્રદર્શનકારીનું રવિવારે મોત થયું હતું. તેઓ 21 વર્ષના હતા. આંદોલન તેમના બલિદાનને યાદ રાખશે. આ દિવસને સદ્ભાવના દિવસ મોર્ચા દ્વારા જાહેર કરાયો છે.