મધુબનીમાં લોહટ ખાંડની મિલના પરિસરમાં કાટમાળને હટાવવાની આડમાં ખાનગી એજન્સીઓના અમુક કર્મચારીઓએ ડોઢ કિમી સુધી દૂર બનેલા રેલવેના પાટાને પણ ઉખાડીને વેચી દીધા.
બિહારમાંથી સામે આવ્યો અનોખો મામલો
ડોઢ કિમી સુધી ઉખાડી દીધા રેલવેના પાટા
બાદમાં તેને વેચી પણ દીધા
બિહારમાં લોખંડના પુલ અને રેલ એન્જિન બાદ હવે મધુબની જિલ્લામાંથી ચોરીનો વધુ એક વીડિયો સોમે આવ્યો છે. અહીં પંડૌલ સ્ટેશનની પાસે ડોઢ કિમી દૂરમાં બનેલા રેલના પાટાને કાપીને વેચી નાખ્યા. આ ઘટના બાદ હવે રેલ મંડળના અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે લોહટ ખાંડની મિલના પરિસરમાં ફેલાયેલા કાટમાળને હટાવવાની આડમાં ખાનગી કંપનીઓના અમુક કર્મચારીઓએ રેલવે ટ્રેકને વેચી નાખ્યા છે.
ઈતિહાસ બની ચુકી છે ખાંડની મિલ
હકીકતે મધુબની જિલ્લામાં લગભગ ત્રણ દાયકા પહેલા સુધી લાખો પરિવારોના ચહેરા પર સ્માઈલ આપનાર લોહટ ખાંડ મિલ હવે ઈતિહાસ બની ચુકી છે. પરંતુ મિલના પરિસરમાં ફેલાયેલા કાટમાળને હટાવવાની આડમાં ખાનગી એજન્સીઓ અમુક કર્મીઓએ ખાન મિલની પાસે રેલવે ટ્રેકને પણ કાપીને વેચી નાખ્યા.
લોહટ ખાંડની મિલના રિટાયર્ડ કર્મચારીઓ અને સ્થાનીક ગ્રામીણોના અનુસાર, લોહટ ખાંડ મિલ સુધી ખાંડ પહોંચાવવા માટે પંડોલ રેલવે સ્ટેશનથી લોહટ ખાંડ મિલના પરિસર સુધી ભારતીય રેલવેના લગભગ 10 કિમી લાંબા રેલ પાટા લગાવવામાં આવ્યા છે. જેના પર શેરડીની માલગાડીઓ આવતી જતી હતી. પરંતુ મિલ બંધ થયા બાદથી રેલવે ટ્રેક પર ગાડીઓ આવવાનું બંધ થઈ ગઈ હતી.
ચોરી થઈ ગયું હતું ટ્રેનનું ડિજિટલ એન્જિન
આ પહેલા નવેમ્બર 2022માં બરૌનીના ગરહારા યાર્ડમાં સમારકામ માટે ગયેલી ટ્રેનના ડિઝલ એન્જિનને એક ગેંગે ચોરી લીધુ હતું. પોલિસી આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમની પુછપરછ બાદ મુઝફ્ફકપુરના પ્રભાત કોલોની સ્થિત એક ભંગારના ગોડાઉનમાંથી રેલના એન્જિનના પાર્ટ્સ મળ્યા હતા.
60 ફૂટ લાંબા લોખંડના પુલની પણ થઈ હતી ચોરી
રોહતાસના નાસરીગંજ વિસ્તારના અમિયાવરમાં આરા કેનાલ પર 1972માં બનેલો લોખંડનો પુર પણ ચોરોએ ચોરી લીધો હતો. આ પુલ 60 ફૂટ લાંબો હતો. ચોર અધિકારી બનીને બુલડોઝર, ગેસ કટર અને ગાડીઓ લઈને પહોંચ્યો હતો.