નીતિન ગડકરીએ કહ્યું કે તે ટૂંક સમયમાં જ વાહન નિર્માતાઓ માટે એક નીતિ તૈયાર કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો મહત્વનો નિર્ણય
દેશના ખેડૂતોને થશે જોરદાર ફાયદો
ઈંધણ પર 20 રૂપિયા સુધીની બચત થશે
માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતો સામાન્ય માણસની પહોંચથી બહાર છે માટે સરકાર જનતાને રાહત આપવા માટે ફ્લેક્સી એન્જિન વાળા વાહનના નિર્માણની નીતિ બનાવી રહી છે. જેથી લોકો પેટ્રોલ-ડીઝલની જગ્યા પર સરળતાથી ઈથેનોલનો ઉપયોગ કરી શકે. નીતિન ગડકરીએ કહ્યું કે તે ટૂંક સમયમાં જ વાહન નિર્માતાઓ માટે એક નીતિ તૈયાર કરી રહ્યા છે. જે હેઠળ દરેક વાહનો પર ફ્લેક્સી એન્જિન લગાવવું જરૂરી કરી દેવામાં આવશે. તે હેઠળ વાહન માલિક પોતાના વાહનમાં પેટ્રોલ અને ડીઝલની જગ્યા પર ઈથેનોલનો ઉપયોગ કરી શકે છે.
તેનો ફાયદો દેશના ખેડૂતોને થશે
તેમણે કહ્યું કે ઈથેનોલનું ઉત્પાદન મોટી માત્રામાં કરવાની રણનીતિ પર પણ કામ ચાલી રહ્યું છે. ઈથેનોલ શેરડીના ભૂસા, ધાન વગેરેથી તૈયાર કરવામાં આવે છે. તેમનું કહેવું હતું કે ખેડૂત સારૂ ઉત્પાદન કરી રહ્યા ચે અને તેમની મહેનતનો પર્યાપ્ત લાભ તેમને મળે તેમના સ્વચ્છ ઈંધણ ઈથેનોલ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં ડીઝલ અને પેટ્રોલની 12 લાખ કરોડ રૂપિયાની આયાત કરવામાં આવે છે. ઈથેનોલના ઉપયોગથી પેટ્રોલ અને ડીઝલની આયાતને ઓછી કરી જો ચાર-પાંચ લાખ કરોડ રૂપિયા બચે છે તો તોન ફાયદો ખેડૂતોને મળશે.
ઈંધણ પર 20 રૂપિયા સુધીની બચત થશે
નીતિન ગડકરી આ પહેલા પણ ઈથેનોલ અથવા અન્ય વૈકલ્પિક ઈંધણના ઉપયોગમાં વધારો આપવાની વાત કહી ચુક્યા છે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે તેનો ઉપયોગ કરવાથી દર લીટર ઈંધણ પર 20 રૂપિયા સુધીની બચત થશે. જણાવી દઈએ કે ભારત પોતાનું ઈથેનોલ ઉત્યાદન પણ વધારી રહ્યું છે. હાલમાં જ સરકારે પેટ્રોલમાં 20% ઈથેનોલ મળવાની સમયમર્યાદાને 2030થી ઘટાડીને 2025 કરી દીધુ છે. હાલ દેશમાં પ્રતિ લીટર પેટ્રોલમાં 8.5% ઈથેનોલ મળે છે.