આજે રાત્રે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન થયું છે. જેની જાણકારી પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને માહિતી આપી છે. તો તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત તમામ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. રાજકીય પક્ષોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રમાં NDAના જૂના સાથીપક્ષ LJPના રામવિલાસ પાસવાનનું આજે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. જેના પગલે રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
મહત્વનું છે કે રામવિલાસ પાસવાન છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા અને સારવાર હેઠળ હતાં. ત્યારે આજે રાત્રે તેમનું નિધન થયું હતું. પુત્ર ચિરાગ પાસવાને આ બાબતની જાણકારી ટ્વિટ દ્વારા આપી હતી. ચિરાગ પાસવાને પિતાના અવસાનની જાણકારી ભાવુક ટ્વિટ કરીને આપી હતી.
ચિરાગ પાસવાને પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'પાપા... હવે તમે આ દુનિયામાં નથી, પરંતુ મને જાણ છે કે તમે જ્યાં પણ હશો મારી સાથે છો. Miss you Papa...'
पापा....अब आप इस दुनिया में नहीं हैं लेकिन मुझे पता है आप जहां भी हैं हमेशा मेरे साथ हैं।
Miss you Papa... pic.twitter.com/Qc9wF6Jl6Z
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધનના સમાચાર મળતા જ તમામ રાજનેતાઓ અને સોશિયલ કાર્યકર્તાઓએ દુઃખ વ્યક્ત કર્યું. ત્યારે પ્રધાનમંત્રીએ પોતાનું દુઃખ શેર કરતા ટ્વિટ કર્યું, હું ખુબ દુઃખી છું. આપણા રાષ્ટ્રમાં હવે એક એવો શૂન્ય છે જે કદાચ ક્યારેય નહીં ભરાય. રામવિલાસ પાસવાનજીનું નિધન એક વ્યક્તિગત ક્ષતિ છે. મેં એક મિત્ર, મૂલ્યવાન સહયોગી અને એવા વ્યક્તિને ખોયા છે, જે દરેક ગરીબની ગરિમાપૂર્ણ જિંદગીને સુનિશ્ચિત કરવા માટે ખુબ જ ઉત્સુક હતા. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વિટમાં એક ફોટો પણ શેર કર્યો છે જેમાં તેઓ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની સાથે હાથ મિલાવતા નજરે આવી રહ્યા છે.
I am saddened beyond words. There is a void in our nation that will perhaps never be filled. Shri Ram Vilas Paswan Ji’s demise is a personal loss. I have lost a friend, valued colleague and someone who was extremely passionate to ensure every poor person leads a life of dignity. pic.twitter.com/2UUuPBjBrj
તમને જણાવી દઇએ કે, રામવિલાસ પાસવાનની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. થોડા દિવસો પહેલા તેમના હૃદયનું એક ઓપરેશન પણ થયું હતું. આ વાત પણ ચિરાગ પાસવારને ટ્વિટ કરીને શેર કરી હતી.
पिछले कई दिनो से पापा का अस्पताल में इलाज चल रहा है।कल शाम अचानक उत्पन हुई परिस्थितियों की वजह से देर रात उनके दिल का ऑपरेशन करना पड़ा।ज़रूरत पड़ने पर सम्भवतः कुछ हफ़्तों बाद एक और ऑपरेशन करना पड़े।संकट की इस घड़ी में मेरे और मेरे परिवार के साथ खड़े होने के लिए आप सभी का धन्यवाद।