વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને મળેલી કેબિનેટની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. તમામ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. અમિત શાહ કાશ્મીર મુદ્દાને લઇને રાજ્યસભા અને લોકસભામાં જવાબ આપશે. આ અગાઉ પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજિત ડાભોલ સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાનારી કેબિનેટની બેઠક પહેલા એક મહત્વપૂર્ણ મીટિગ મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજિત ડોભાલ ઉપસ્થિત રહ્યાં હતા.
દિલ્લીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂર્વે CCSની બેઠક મળી હતી. જેમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં હાજર રહ્યાં હતાં. પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં NSA અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે સત્ર બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કાશ્મીરની મુલાકાતે જઇ રહ્યાં છે. જેને લઇને એવી અટકળો તેજ થઇ ગઇ છે કે કેન્દ્ર સરકાર જમ્મૂ-કાશ્મીરને લઇને કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. કેન્દ્ર સરકાર જમ્મૂ-કાશ્મીરને લઇને શું નિર્ણય લેશે તેને લઇને વિપક્ષમાં હલચલ તેજ બની ગઇ છે. કોંગ્રેસ પરિસ્થિતિને સ્પષ્ટ કરવાની માંગ કરી છે.
આમ કાશ્મીરમાં બદલાઇ રહેલા ઘટનાક્રમને લઇને દિલ્હીમાં આજે કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઇ છે. આ બેઠક વડાપ્રધાનના નિવાસ્થાને યોજાઇ. આ બેઠકનો એજન્ડા સીક્રેટ રાખવામાં આવ્યો હતો અને આ બેઠકમાં જે નિર્ણય લેવામાં આવશે તેને સીધો કેબિનેટમાં રજૂ કરવામાં આવશે.
કાશ્મીર મુદ્દે છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલી અટકળો વચ્ચે રવિવારે કેન્દ્ર સરકારના ઉચ્ચસ્તરિય ડિપાર્ટમેન્ટ હલચલ તેજ જોવા મળી. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, ગૃહમંત્રી રાજીવ ગાવા તેમજ ગુપ્તચર એજન્સીના પ્રમુખો સાથે મેરાથોન બેઠક યોજી હતી.
કશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં શું થયું ?
કાશ્મીર મુદ્દે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. જ્યારે કાશ્મીરમાં પણ સ્થાનિક નેતાઓની સર્વદળીય બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં અલગાવવાદી નેતાઓનો નજરકેદ કરવામાં આવ્યાં છે. જ્યારે ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફતીને નજરકેદ કરાયાં છે. જ્યારે કાશ્મીરમાં 10માંથી 9 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા સાથે કેબલ ટીવી સેવા પણ બંધ કરાઇ છે.