દિલ્હી: કેન્દ્રીય કેબિનેટના ચુકાદા પર સ્પષ્ટતા કરવા માટે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી અને સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે સીબીઆઈ દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે. તેની શાખ જળવાઈ રહે તે માટે કેન્દ્ર તત્પર છે. સીબીઆઈમાં વિચિત્ર અને દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ ઉભી થઈ છે.
# WATCH FM Jaitley & Union Minister RS Prasad brief the media after Union Cabinet meeting https://t.co/8BoViAEOBO
બે વરિષ્ઠ ડાયરેક્ટર પર સવાલો ઉભા થયા છે. ત્યારે આની તપાસ કોણ કરશે એ સવાલ સામે પ્રશ્ન છે. આ કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. જેથી આ મામલે સરકાર તપાસ કરશે નહીં. હવે આ કેસની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવી છે.
Regarding the charge the 3 opposition parties have made I regard this charge as a rubbish. The fact that the 3 opposition parties are saying that we know what the agency was going to do next itself casts a serious doubt on the fairness process: FM Arun Jaitley pic.twitter.com/2l9dUG8Yhd
જ્યાં સુધી SIT તપાસ પૂરી ન કરે ત્યાં સુધી આ અધિકારીઓને CBIથી અલગ કરી દેવામાં આવ્યા છે. હું નથી જાણતો કોણ સાચુ છે અને કોણ ખોટું. પણ તપાસની નિષ્પક્ષતાનો અધિકારી CVC પાસે છે.
Regarding the charge the 3 opposition parties have made I regard this charge as a rubbish. The fact that the 3 opposition parties are saying that we know what the agency was going to do next itself casts a serious doubt on the fairness process: FM Arun Jaitley pic.twitter.com/2l9dUG8Yhd
જો તેઓ નિર્દોષ સાબિત થશે તો પોતાની ફરજ પર પરત ફરશે. તપાસની મજાક નહીં બનવા દઈએ. ઉપરાંત વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષના તમામ આરોપો પણ નિરાધાર છે.