કૃષિ કાયદાઓના વિરોધમાં પર છેલ્લા કેટલાક મહિનાઓથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે શરદ પવારે કાયદાઓ પર પ્રહાર કર્યા હતા તો તેનો કૃષિ મંત્રીએ જવાબ આપ્યો હતો.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ ત્રણ કાયદાઓ પર શરદ પવારના હુમલાનો આપ્યો જવાબ
કૃષિ મંત્રી તોમરે કહ્યું કે, કૃષિ કાયદાઓ પર પવારના ભ્રામક ટ્વિટ જોઇ અચંબિત થયો
કૃષિ મંત્રીનું ટ્વિટ- નવા કાયદા ખેડૂતોને પાક વેચવાની નવી વ્યવસ્થાનો વિકલ્પ આપશે
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ફરી એકવાર ત્રણેય કૃષિ કાયદાઓના ફાયદા ગણાવ્યા છે. NCP ચીફ શરદ પવારે શનિવારે કહ્યું હતું કે, આ ત્રણેય કાયદા ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP) પર ખરાબ અસર કરશે અને બજાર સિસ્ટમને નબળી કરી દેશે. પવારના આરોપોનો જવાબ આપતા કૃષિ મંત્રીએ કેટલાક ટ્વિટ કર્યા અને તેમણે અપીલ કરી કે તેઓ ખેડૂતોની સામે સાચુ તથ્ય રાખે.
કૃષિ મંત્રીએ ટ્વિટ કર્યું, શરદ પવારજી વરિષ્ઠ નેતા છે અને પૂર્વ કૃષિ મંત્રી છે. તેમણે કૃષિથી જોડાયેલા મામલાઓ અને સમાધાનોને વિશેષજ્ઞ માનવામાં આવે છે. તેમણે ખુદના પોતાના કાર્યકાળ દરમિયાન કેટલાક કૃષિ સુધારાઓની પહેલી કરી. તેઓ પોતાના અનુભવ અને વિશેષજ્ઞતાના આધાર પર પોતાની વાત રાખે છે, જોકે ત્રણેય કૃષિ કાયદાઓ પર તેમના ભ્રામક ટ્વિટ જોઇને અચંબિત થયો. હું તેમના આરોપો પર કેટલાક તથ્ય સ્પષ્ટ કરવા માંગુ છું.
કૃષિ મંત્રીએ ગણાવ્યા કૃષિ કાયદાના ફાયદા
કૃષિ મંત્રીએ લખ્યું કે, નવા કાયદા ખેડૂતો માટે પોતાનો પાક વેચવા માટે નવી વ્યવસ્થાનો વિકલ્પ આપનારા છે. આ હેઠળ તેઓ પોતાના પાક રાજ્ય બહાર ગમે ત્યાં ગમે ત્યારે ગમે એને સરળતાથી વેચી શકશે. આનાથી તેમને પોતાના પાકનો સારો ભાવ મળી શકશે. આનાથી હાલમાં MSP વ્યવસ્થાને કોઇ નુકસાન નહીં થાય.
તોમરે વધુમાં કહ્યું કે, નવી વ્યવસ્થા હેઠળ બજારો પર કોઇ પ્રભાવ નહીં પડે. આની વિપરીત તેમાં પ્રતિસ્પર્ધા વધશે અને સર્વિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે તેમાં બચત જ નહીં થાય. નવા કાયદાઓ હેઠળ બન્ને વ્યવસ્થાઓ ખેડૂતોના હિતમાં સાથોસાથ ચાલતી રહેશે.
चूंकि श्री पवार एक वरिष्ठ नेता हैं, मुझे लगता है कि उनके सामने तथ्य गलत तरीके से पेश किए गए हैं।
अब जब उन्हें सही तथ्यों की जानकारी हो गई है, तो मुझे लगता है कि कृषि सुधारों के प्रति वे अपना रवैया बदलेंगे और किसानों को भी इसके लाभ से अवगत कराएंगे।
તેમણે કહ્યું કે, તેઓ એક વરિષ્ઠ નેતા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમણે સાચે જ આને લઇને ગુમરાહ કરવામાં આવ્યા છે. હવે જ્યારે તેમની પાસે યોગ્ય તથ્ય છે, મને આશા છે કે તેઓ પોતાનું વલણ બદલીશું અને આ કાયદાઓના ફાયદા ખેડૂતોને પણ બતાવીશું.
જોકે પવારે કહ્યું હતું કે, નવા કાયદા MSP પર પાક ખરીદ કરવાના માળખાને ખરાબ અસર કરશે. તેનાથી બજાર પ્રણાલી કમજોર થઇ જશે. તેમણે MSPને સુનિશ્ચિત કરવા અને આ વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો.
પવારે કૃષિ કાયદાઓ પર શું કહ્યું હતું ?
પવારે ટ્વિટ કર્યું, સુધાર એક સતત પ્રક્રિયા છે અને APMC અને બજાર પ્રણાલીમાં સુધારા વિરૂદ્ધ કોઇ પણ વ્યક્તિ દલીલ નહીં આપે, પરંતુ આના પર એક સકારાત્મક ચર્ચાનો એ મતલબ નથી કે આ પ્રણાલીને નબળી કે નષ્ટ કરવા માટે છે.
પૂર્વ કૃષિ મંત્રીએ ટ્વિટ કર્યું, મારા કાર્યકાળ દરમિયાન વિશેષ બજાર સ્થાપિત કરવા માટે કરાર APMC નિયમાવલી-2007 તૈયાર કરવામાં આવી હતી, જેથી ખેડૂતોને પોતાની ઉપજ બચાવવા માટે વૈકલ્પિક મંચ ઉપલબ્ધ કરાવી શકાશે અને હાલની બજાર પ્રણાલીને મજબૂત કરવા માટે પણ વધુ સાવધાની રાખવાની હતી.
જોકે નરેન્દ્રસિંહ તોમરના પવારને જવાબ બાદ પવારે ફરી ટ્વિટ કરીને કૃષિ કાયદાઓ પર પ્રહાર કર્યા હતા.
नये कानून में किसान मंडी के बाहर अपना माल बेच सकता हैं लेकीन प्रायव्हेट खरिदारों को बेचते समय एमएसपी को किसी भी प्रकार का संरक्षण नही हैं। यही आंदोलनकारी किसानों का शुरू से कहना था। कार्पोरेट क्षेत्र के साथ दीर्घ काल तक किसानों को सही किमत मीलने की बात को आश्वस्त नही किया है।
यह केवल रवैय्या नहीं है, किसानों को आश्वस्त करने की जिम्मेदारी सरकार की है। उचित चर्चा समय पर होनी चाहिए थी। तथ्यों को गलत या सही तरिकों से पेश करने की बहस दीर्घकाल चल सकती हैं, लेकिन सत्य को सामने रखना जरुरी है। यह काम सरकार की तरफ से सन्माननीय कृषिमंत्री ही कर सकते हैं।