Ujjwala Yojana સ્કીમના આધારે ગરીબી રેખાથી નીચે આવનારા પરિવારોને ફ્રીમાં રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવે છે. જાણો કયા ડોક્યૂમેન્ટ સાથે કોણ કરી શકશે એપ્લાય.
આ મહિને મોદી સરકાર ફ્રીમાં આપશે 1 કરોડ LPG Gas Connection
જાણો કયા ડોક્યૂમેન્ટ સાથે કોણ કરી શકશે એપ્લાય
Ujjwala Yojanaમાં ઝડપથી કરી લો એપ્લાય
1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે Pradhan Mantri Ujjwala Yojana ના આધારે 1 કરોડ વધુ નવા ગેસ કનેક્શન ફ્રીમાં આપવામાં આવશે. હાલમાં મળી રહેલી જાણકારી અનુસાર મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ અને નેચરલ ગેસે આવનારા ચરણની રૂપરેખા તૈયાર કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિને આ જાહેરાતનો અમલ કરાશે.
શું છે મોદી સરકારની યોજના
Ujjwala schemeના આધારે ગરીબી રેખાની નીચે આવનારા પરિવારને ફ્રીમાં રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવે છે. મળતી માહિતી અનુસાર 31 જાન્યુઆરી 2021 સુધી આ સ્કીમમાં 83 મિલિયન એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે બજેટની જાહેરાત અનુસાર એ રાજ્યોમાં નવા ગેસ કનેક્શન અપાશે જ્યાં તેની પહોંચ ઓછી છે. Ujjwala schemeના લાભાર્થીઓનું લિસ્ટ સરકારને માટે મહત્વનું હોય છે કેમકે તેને આધાર માનીને સરકાર અનેક પ્રકારની યોજનાઓ અને લાભ જરૂરિયાત મંદને આપે છે. કોરોના લોકડાઉનમાં સરકારે Pradhan Mantri Garib Kalyan packag ના આધારે દરેક લાભાર્થીને ફ્રીમાં 3 ગેસ સિલિન્ડર આપ્યા હતા.
ક્યારથી થઈ યોજનાની શરૂઆત
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત 1 મે 2016થી થઈ છે. આ યોજનાના આધારે તમે એલપીજી કનેક્શન લો છો તો ગેસ સગડી સાથે કુલ ખર્ચ 3200 રૂપિયા થાય છે. તેમાં 1600 રૂપિયાની સબ્સિડી સીધી સરકારની તરફથી મળે છે. બાકી 1600 રૂપિયાની રકમ તેલ કંપનીઓ આપે છે. પરંતુ ગ્રાહકોએ ઈએમઆઈના રૂપમાં આ 1600 રૂપિયાની રકમ તેલ કંપનીને ચૂકવવાની રહે છે. સ્વચ્છ ઈંધણ, સારું જીવનના કેમ્પેન સાથે આ યોજના શરૂ કરાઈ છે. આ એક ધુમાડા રહિત ગ્રામીણ ભારતની પરિકલ્પના છે. તેમાં 2019 સુધીમાં 5 કરોડ ગરીબ પરિવારની મહિલાઓને સસ્તા દરે એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય રખાયું હતું.
કોને મળશે આ યોજનાનો લાભ
ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને તે મહિલા હોય તે જરૂરી છે. અરજદાર એક બીપીએલ કાર્ડ ધારક ગ્રામીણ નિવાસી હોવો જરૂરી છે. મહિલા અરજદારની સબ્સિડી રકમ પ્રાપ્ત કરવા માટે દેશમાં કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત બેંક ખાતું હોવું જોઈએ. અરજદાર પરિવારના ઘરે પહેલાંથી એલપીજી કનેક્શન હોવું જોઈએ નહીં.
કયા ડોક્યૂમેન્ટની રહેશે જરૂર
આ સ્કીમના આધારે અરજદારની પાસે બીપીએલ રાશન કાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય પંચાયત પ્રધાન / નગરપાલિકા અધ્યક્ષ દ્વારા અધિકૃત બીપીએલ પ્રમાણપત્ર, એક ફોટો ઓળખપત્ર (આધાર કાર્ડ કે વોટર કાર્ડ) , અત્યારનો પાસપોર્ટ સાઈઝનો 1 ફોટો, જનધન ખાતું કે બેંક એકાઉન્ટનો નંબર વગેરે હોવા જરૂરી છે.