શ્રીનગરઃ દક્ષિણ કશ્મીરના અનંતનાગમાં 2 આતંકીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા છે. અનંતનાગના ડોરુ વિસ્તારમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં 2 આતંકીઓ ઠાર મરાયા છે. આતંકીઓ પાસેથી એકે-47 સહિત અન્ય ચીજવસ્તુઓ મળી આવી છે.
આ આતંકીઓ હિજબુલ મુજાહિદ્દીનના હોવાની માહિતી મળી છે. ગુપ્ત ઇનપુટને આધારે સેનાના 19 રાઇફલ્સ જમ્મૂ કશ્મીર પોલીસ અને CRPFના જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ ઠપ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કરી દેતા જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. અને જવાબી કાર્યવાહીમાં 2 આતંકીઓ ઠાર થઇ ગયા હતા.