તુવેરકાંડમા કેટલા તોડબાજ.. આવો સવાલ હવે ઉપસ્થિત થવો વ્યાજબી છે કારણ કે કેશોદ અને વિસાવદર બાદ તળાજામા પણ સેવાઈ રહી છે તુવેરકાંડની આશંકા.. આ શંકા પેદા થવાનું કારણ પણ બહુ સબળ છે કારણ કે 14 એપ્રિલે તુવેરની ખરીદી કરવામા આવે છે અને આટલા દિવસ પછી અચાનક જ સેમ્પલ સીલ કરી દેવામાં આવે છે.. તો આખરે પડદા પાછળ શું રંધાઈ ગયું તે મોટો સવાલ છે