દેશભરમાં નવરાત્રિની સાથે અન્ય અનેક તહેવારોની ઉજવણી થઈ રહી છે ત્યારે ભક્તો ઉપવાસમાં પણ ખાસ ખાવાની ફરમાઈશ કરતા રહે છે.આ સમયે જો તમે નાસ્તામાં દહીં કે ચા સાથે ભજીયાની મજા માણવા ઈચ્છો છો તો તમારા માટે અમે ખાસ ફરાળી ભજીયાની રેસિપી લાવ્યા છીએ. ફટાફટ બની જતા આા ભજીયા તમારી ભૂખ સંતોષવા માટે પૂરતા છે. તો જાણો સિમ્પલ રેસિપી.
સામગ્રી
1 વાડકી રાજગરાનો લોટ
3 નંગ બટાકા(મિડિયમ સાઈઝના)
2 નંગ લીલા મરચા (ઝીણા સમારેલા)
2 ચમચી આદુ (છીણેલુ)
1 ચમચી તલ
1 ચમચી લાલ મરચુ પાવડર
1 ચમચી મરી પાવડર
1 ચમચી જીરૂ પાવડર
1 ચમચી લીંબુનો રસ
સ્વાદ અનુસાર સિંધાલુ અથવા નમક
તળવા માટે તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ બટાકાને ધોઈ લો, ત્યારબાદ બટાકાની છાલ ઉતારી તેને ઝીણી ખમણી વડે છીણી લો, હવે તે ખમણને પાણી વડે ધોઈ એક પ્લેટમાં લઈ બધુ પાણી હાથ વડે દબાવી કાઢી લેશું, હવે એક બાઉલમાં રાજગરાનો લોટ નાખી તેમાં બટાકાનું ખમણ નાખો, ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા મરચાના ટુકડા, છીણેલું આદુ, ઝીણી સમારેલી કોથમીર, મરી પાવડર લાલ મરચુ પાવડર, જીરૂ પાવડર, તલ, લીંબુનો રસ અને સ્વાદ અનુસાર સિંધાલુ અથવા નમક નાખી પછી બધુ બરાબર રીતે મીક્ષ કરો, ત્યારબાદ પાણી નાખી ફરી બધુ બરાબર મીક્ષ કરો. તો તૈયાર થઈ ગયુ છે ભજીયા બનાવવા માટેનું ખીરૂ.
આ રીતે બનાવો ભજીયા
ફરાળી ભજીયા બનાવવા માટેનું ખીરૂ તૈયાર કર્યા બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે એક ચમચી વડે ખીરૂમાંથી ભજીયા પાડો, ભજીયા વચ્ચે વચ્ચે પલટાવતા રહો, જેથી તે બન્ને બાજુ બરાબર પાકી જાય. ભજીયા બ્રાઉન રંગ થાય એટલે એક પ્લેટમાં કાઢી લો. તો તૈયાર છે, રાજગરાના ફરાળી ભજીયા, તેને તમે ખજુર આમલીની ચટણી તેમજ દહી સાથે સર્વ કરી શકો છો.તો તૈયાર છે, રાજગરાના ફરાળી ભજીયા, તેને તમે ખજુર આમલીની ચટણી તેમજ દહી સાથે સર્વ કરી શકો છો.