રણજી ટ્રોફીમાં વડોદરા માટે રમનારા વિષ્ણુ સોલંકીની શાનદાર સદી. પોતાની નવજાત પુત્રીના અંતિમ સંસ્કાર કર્યા બાદ પહોંચ્યો હતો રમવા
વિષ્ણુ સોલંકીની શાનદાર સદી
રણજી ટ્રોફીમાં વડોદરા માટે ફટકારી સદી
પોતાની પુત્રીના અંતિમસંસ્કાર બાદ રમવા પહોંચ્યો હતો
રણજી ટ્રોફીમાં વડોદરા માટે રમનારા વિષ્ણુ સોલંકીએ ચંદીગઢ સામે સદી ફટકારી છે. જે બાદ વિષ્ણુની ચોમેર પ્રશંસા થઇ રહી છે. વિષ્ણુની આ સિદ્ધિ બાદ તેના ચહેરા પર ખુશી તો જોવા મળી રહી છે પરંતુ કહેવાય છેને હર મુસ્કુરાતે ચહેરે કે પીછે દર્દ છીપા હોતા હૈ. તો વિષ્ણુ સાથે પણ આવુ જ થયું. વિષ્ણુની નવજાત બાળકીનું અવસાન થયુ. પુત્રીનું મૃત્યુ હતા વિષ્ણુ હતાશ થઇ ગયો હતો જો કે તેણે પુત્રીના અંતિમ સંસ્કાર કર્યા બાદ સીધો જ મેદાન પર આવી ગયો અને પોતાના ટીમ માટે સદી ફટકારી.
ચંદીગઢ સામે ફટકારી શતક
ચંદીગઢ સામે વિષ્ણુએ 12 ચોગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશને તેને રિયલ હીરો ગણાવ્યો છે. તેની બોલ્ડ ઇનિંગ્સને જોઇને દરેક લોકો સલામ કરી રહ્યા છે.સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી રમી રહેલા બેટ્સમેન શેલ્ડન જેક્સને ટ્વીટ કરતા જણાવ્યુ હતું કે હું જેટલા ખેલાડીઓને ઓળખુ છુ તેમાંથી ભાગ્યેજ કોઇ આટલુ ટફ ખેલાડી હશે. મારા તરફથી વિષ્ણુ અને તેના પરિવારને સલામ. હું ઇચ્છું છું કે આવા હજી આવી સદી ફટકારતા રહે.
What a player . Has to be the toughest player i have known. A big salute to vishnu and his family by no means this is easy🙏 wish you many more hundreds and alot of success 🙏🙏 pic.twitter.com/i6u7PXfY4g
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેના પિતા પ્રોફેસર રમેશ તેંડુલકરના મૃત્યુ પછી તરત જ 1999 વર્લ્ડ કપ દરમિયાન સદી ફટકારી હતી. તેંડુલકરે કહ્યું હતું કે, 'જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી માતાને જોઈને હું ભાવુક થઈ ગયો હતો. મારા પિતાના અવસાન પછી તે ભાંગી પડી હતી, પરંતુ તે દુઃખની ઘડીમાં પણ તે ઈચ્છતી ન હતી કે હું ઘરે રહું. તે ઈચ્છતી હતી કે હું ટીમ માટે રમું. જ્યારે મેં કેન્યા સામે સદી ફટકારી ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. મહત્વનું છે કેસચિને કેન્યા સામે 101 બોલમાં 140 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ પણ ફટકારી હતી અડધી સદી
રણજી મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ કંઈક આવું જ થયું હતું. તે દિલ્હીની ટીમ માટે રમી રહ્યો હતો કે અચાનક તેના પિતાનું અવસાન થયું. આ છતાં, વિરાટે બેટિંગમાં કરીને શાનદાર અડધી સદી ફટકારી હતી. પોતાની ટીમને હારમાંથી બચાવી હતી. આ પછી તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો.