આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર અને સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમ ઉપર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ મંદિર ચોટીલાનો અદભૂત નજારો
ચોટીલા ડુંગર પર તિરંગો લહેરાવ્યો
શેત્રુંજી ડેમ ઉપર લહેરાયો તિરંગો
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશવાસીઑ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા છે. આ પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ મંદિર ચોટીલા ખાતે ડુંગર પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ડુંગરની ટોચ પર આન, બાન અને શાનથી લહેરાતા તિરંગાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ અવસરે માતાજીના ભક્તો દેશભક્તિના રંગમાં રંગાયા હતા. જેમાં ભક્તોએ તિરંગા સાથે સેલ્ફી લેવા રીતસરની લાઇનો લગાવી હતી.
સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ ઉપર તિરંગો લહેરાયો
આ ઉપરાંત સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાવનગરના શેત્રુંજી ડેમ ખાતે પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જેને લઇને શેત્રુંજી ડેમ રાત્રીના સમયે રોશનીથી ઝળહળતો થયો હતો. મનમોહક રોશનીથી ઝળહળતા ડેમનો ગગન કૂખેથી લેવાયેલા ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે.